ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સરકારી વકીલની ભરતી માટેના ઇન્ટરવ્યુહ અચાનક મૌકુફ !


SHARE











મોરબી જીલ્લામાં સરકારી વકીલની ભરતી માટેના ઇન્ટરવ્યુહ અચાનક મૌકુફ !

મોરબી જિલ્લામાં છ મદદનીશ સરકારી વકીલ (આસીસ્ટન્ટ ગવર્મેન્ટ પ્લીડર-AGP) ની ભરતી કરવા માટે થઇને આજે તા.૨૧-૯-૨૧ ના અને ૨૨-૯-૨૧ ના એમ બે દિવસ ઈન્ટરવ્યૂ ગોઠવવામાં આવ્યા હતા જોકે કોઇ કારણોસર આ ઇન્ટરવ્યુહ છેલ્લી ઘડીએ મોકુફ રાખવાનાં આવેલ છે જેથી કરીને આ વાતને લઇને વકીલોમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે.

મોરબી જીલ્લાની અંદર છ મદદનીશ સરકારી વકીલ (આસીસ્ટન્ટ ગવર્મેન્ટ પ્લીડર-AGP) ની ભરતી કરવાની હતી જેથી કરીને મોરબી, રાજકોટ, જામનગર સહિતના જિલ્લાઓમાંથી લગભગ ૯૬ જેટલા ઉમેદવારોએ પોતાના ઉમેદવારીપત્રો ભર્યા હતા અને તેમાં અપૂરતી વિગતો હોવાથી અને અન્ય કારણોસર લગભગ ૪૦ જેટલા ફોર્મને રદ કરવામાં આવ્યા હતા જોકે ૪૬ ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હોય તેના ઇન્ટરવ્યૂ આજથી શરૂ થવાના હતા અને આજે કોઈ કારણોસર બપોરના સમયે યોજાનાર ઇન્ટરવ્યૂહ હાલમાં મોકુફ રાખવામાં આવ્યા હોવા અંગેની ઉમેદવારોને જાણ કરવામાં આવી છે એટલે કે મદદનીશ સરકારી વકીલની ભરતી માટેની પ્રક્રિયા હવે ક્યારે હાથ ધરવામાં આવશે તે સવાલ ઉભો થયો છે.વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે અગાઉ પણ એક વખત આવી જ રીતે મદદનીશ સરકારી વકીલની ભરતી કરવા માટે થઈને જે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તે છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી હતી જેનું આજે વધુ એક વખત પુનરાવર્તન થવાની ઘટના સર્જાતા ઇન્ટરવ્યૂ હવે ક્યારે ગોઠવાશે તે વાતને લઈને વકીલોમાં ગણગણાટ શરૂ થયો છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News