મોરબી : સિંધાવદરમાં વાહકજન્ય રોગ અટકાયતી ઝુંબેશ
SHARE
મોરબી : સિંધાવદરમાં વાહકજન્ય રોગ અટકાયતી ઝુંબેશ
મોરબી જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કવિતાબેન દવે, જિલ્લા મેલેરિયા અધિકારી ડો.ડી.વી.બાવરવાની સૂચના અને પ્રા.આ.કે. સિંધાવદરના મેડીકલ ઓફિસર ડો. દિશીતા ડઢાણીયા સુપરવાઇઝર હીરાભાઈ મકવાણાના માર્ગદર્શન અનુસાર પી.એચ.સી. સિંધાવદરના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સિંધાવદર, ખીજડિયા, ખેરવા, અગાભી પીપળીયા, રાજાવડલા અને ઘીયાવડ તેમજ સેજાના ગ્રામ્ય વિસ્તારોમાં વાહકજન્ય રોગ અટકાયતી બાબતે વિવિધ કામગીરી કરવામાં આવી.
ઘરમાં વાપરવાના પાણીથી ભરેલા વાસણોમાંથી બિનજરૂરી પાણીનો નિકાલ, એબેટ કામગીરી,તાવના કેસની સારવાર, જનજાગૃતિ તેમજ પ્રા. શાળાના બાળકોને વાહકજન્ય નિર્મૂલન માટે શું શું કરવું અને શું શું ના કરવું એ બાબતે પોરા અને ગપ્પી માછલી નિદર્શન કરાવીને માહિતી આપવામાં આવી હતી. ઘરની બહાર વરસાદી ભરાયેલા નાના મોટા ખાડા ખાબોચિયામાં ઓઇલ કામગીરી પાણીનો નિકાલ કરવામાં આવેલ. તેમજ મેલેરિયા અટકાવવામાં માટે ઘેર ઘેર જઈને લોકોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.