27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને  પારિવાર સાથે મતદાન કર્યું હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ
Breaking news
Morbi Today

મોરબી : સિંધાવદરમાં વાહકજન્ય રોગ અટકાયતી ઝુંબેશ


SHARE













મોરબી : સિંધાવદરમાં વાહકજન્ય રોગ અટકાયતી ઝુંબેશ

મોરબી જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કવિતાબેન દવે, જિલ્લા મેલેરિયા અધિકારી ડો.ડી.વી.બાવરવાની સૂચના અને પ્રા.આ.કે. સિંધાવદરના મેડીકલ ઓફિસર ડો. દિશીતા ડઢાણીયા સુપરવાઇઝર હીરાભાઈ મકવાણાના માર્ગદર્શન અનુસાર પી.એચ.સી. સિંધાવદરના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સિંધાવદર, ખીજડિયા, ખેરવા, અગાભી પીપળીયા, રાજાવડલા અને ઘીયાવડ તેમજ સેજાના ગ્રામ્ય વિસ્તારોમાં વાહકજન્ય રોગ અટકાયતી બાબતે વિવિધ કામગીરી કરવામાં આવી.

ઘરમાં વાપરવાના પાણીથી ભરેલા વાસણોમાંથી બિનજરૂરી પાણીનો નિકાલ, એબેટ કામગીરી,તાવના કેસની સારવાર, જનજાગૃતિ તેમજ પ્રા. શાળાના બાળકોને વાહકજન્ય નિર્મૂલન માટે શું શું કરવું અને શું શું ના કરવું એ બાબતે પોરા અને ગપ્પી માછલી નિદર્શન કરાવીને માહિતી આપવામાં આવી હતી. ઘરની બહાર વરસાદી ભરાયેલા નાના મોટા ખાડા ખાબોચિયામાં ઓઇલ કામગીરી પાણીનો નિકાલ કરવામાં આવેલ. તેમજ મેલેરિયા અટકાવવામાં માટે ઘેર ઘેર જઈને લોકોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.






Latest News