મોરબીમાં પ્રેમીને એસિડ પીવડાવવાના બનાવમાં યુવાનનું મોત
SHARE
મોરબીમાં પ્રેમીને એસિડ પીવડાવવાના બનાવમાં યુવાનનું મોત
મોરબી શહેરના વીસીપરાની અંદર આવેલ રોહીદાસપરામાં રહેતા યુવાનને પ્રેમ સંબંધ હોય તે બાબતે બોલાચાલી અને અને ઝઘડો કર્યો હતો ત્યાર બાદ તેને એસિડ પીવડાવી દીધૂ હતું તેવું ભોગ બનેલા યુવાને હોસ્પિટલના બિછાનેથી પોલીસને જણાવ્યુ હતું અને સારવાર દરમ્યાન તે યુવાનનું મોત નીપજયું છે ત્યારે પોલીસે તે અંગેની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા રમેશ મનસુખ ચૌહાણ (૨૩) નામના યુવાનને એસિડ પીવડાવી દેવામાં આવ્યું હોવાથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામા આવ્યો હતો અને આ બનાવ અંગેની પોલીસ દ્વારા નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે રમેશ ચૌહાણે પોલીસને આપેલ નિવેદનમાં જણાવ્યુ હતું કે, તેને પ્રેમ સબંધ હોય તે બાબતે બોલાચાલી અને ઝઘડો કરીને અજાભાઈ અને દયાબેન નામના વ્યક્તિઓએ તેને એસિડ પીવડાવી દીધેલ છે જેથી કરીને પોલીસે રમેશ ચૌહાણ દ્વારા આપવામાં આવેલ નિવેદન મુજબની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટ ખાતે સારવાર દરમ્યાન રમેશ મનસુખ ચૌહાણ નામના યુવાનનું મોત નીપજયું છે જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે









