હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબી લેક્સસ કંપનીના બે ડિરેક્ટર સહિત ત્રણની 14.66 કરોડની ટેક્સ ચોરીમાં ધરપકડ: ત્રણેય જેલ હવાલે


SHARE







મોરબીમાંથી સીજીએસટીની ટીમ દ્વારા ટેક્સ ચોરીમાં બે કારખાનેદાર સહિત ત્રણની ધરપકડ કરી હતી અને ત ત્રણેયને મોરબીની ચીફ જ્યુડીસ્યલ મેજિસ્ટર કોર્ટમાં રજૂ કરાયા હતા ત્યારે બંન્ને પક્ષની દલીલ સાંભળીને કોર્ટે 14.66 કરોડ રૂપિયાની ટેકસ ચોરીના ગુનામાં ત્રણ શખ્સોના જામીન નામંજુર કરેલ છે અને હાલમાં જ્યુડીસ્યલ કસ્ટડીમાં મોકલાવામાં આવેલ છે

મોરબીના લખધીરપુર રોડે આવેલ લેકસસ સિરામિકના ડીરેકટર અનિલ બાબુભાઈ દેત્રોજા અને હિતેશ બાબુભાઈ દેત્રોજા તેમજ લેક્સેસ કંપનીના એકાઉન્ટટ રાજેશ રણછોડભાઈની ધરપકડ સીજીએસટીની ટીમે કરી હતી અને આજે કોર્ટમાં બંને પક્ષની દલીલ સાંભળવામાં આવી હતી જેમાં બંને પક્ષના વકીલોએ કરેલ દલીલને ધ્યાને રાખીને કોર્ટે હાલમાં ઓરલી ઓર્ડર કરીને જામીન અરજી નામંજૂર કરેલ છે આવતીકાલે સાંજે ઓર્ડર કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે વધુમાં અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી વિવિધ પ્રમાણે વર્ષ 2021-22 અને 2022-23 દરમિયાન કરવામાં આવેલ નાણાકીય વ્યવહાર અને માલની ખરીદ વેચાણમાં અન્ડર વેલ્યુ અને વિધાઉટ બિલથી માલ આપવામાં આવ્યો હોય તેવું સીજીએસટીની ટીમને ધ્યાન ઉપર આવ્યું હતું અને કુલ મળીને 14.66 કરોડથી વધુની ટેક્સ ચોરી સામે આવી હતી જેથી કરીને સીજીએસટીની ટીમ દ્વારા હાલમાં બે ડિરેક્ટર અને એક એકાઉન્ટ સાઈટ કુલ ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે વધુમાં મળતી વિગત પ્રમાણે પેન ડ્રાઈવ, લેપટોપ વિગેરે સાહિત્ય પણ સીજીએસટીની ટીમ દ્વારા કબજે કરીને તપાસ કરવામાં આવી રહી છે અને હજુ ટેક્સ ચોરીનો આંકડો વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે આ કેસમાં સીજીએસટી વતી એડવોકેટ અશોકસિંહ વાઘેલા, વાય.પી.જાડેજા, રાજેશભાઈ જલુ અને કાનજીભાઈ ગરચર રોકાયેલ છે






Latest News