આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી લેક્સસ કંપનીના બે ડિરેક્ટર સહિત ત્રણની 14.66 કરોડની ટેક્સ ચોરીમાં ધરપકડ: ત્રણેય જેલ હવાલે


SHARE













મોરબીમાંથી સીજીએસટીની ટીમ દ્વારા ટેક્સ ચોરીમાં બે કારખાનેદાર સહિત ત્રણની ધરપકડ કરી હતી અને ત ત્રણેયને મોરબીની ચીફ જ્યુડીસ્યલ મેજિસ્ટર કોર્ટમાં રજૂ કરાયા હતા ત્યારે બંન્ને પક્ષની દલીલ સાંભળીને કોર્ટે 14.66 કરોડ રૂપિયાની ટેકસ ચોરીના ગુનામાં ત્રણ શખ્સોના જામીન નામંજુર કરેલ છે અને હાલમાં જ્યુડીસ્યલ કસ્ટડીમાં મોકલાવામાં આવેલ છે

મોરબીના લખધીરપુર રોડે આવેલ લેકસસ સિરામિકના ડીરેકટર અનિલ બાબુભાઈ દેત્રોજા અને હિતેશ બાબુભાઈ દેત્રોજા તેમજ લેક્સેસ કંપનીના એકાઉન્ટટ રાજેશ રણછોડભાઈની ધરપકડ સીજીએસટીની ટીમે કરી હતી અને આજે કોર્ટમાં બંને પક્ષની દલીલ સાંભળવામાં આવી હતી જેમાં બંને પક્ષના વકીલોએ કરેલ દલીલને ધ્યાને રાખીને કોર્ટે હાલમાં ઓરલી ઓર્ડર કરીને જામીન અરજી નામંજૂર કરેલ છે આવતીકાલે સાંજે ઓર્ડર કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે વધુમાં અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી વિવિધ પ્રમાણે વર્ષ 2021-22 અને 2022-23 દરમિયાન કરવામાં આવેલ નાણાકીય વ્યવહાર અને માલની ખરીદ વેચાણમાં અન્ડર વેલ્યુ અને વિધાઉટ બિલથી માલ આપવામાં આવ્યો હોય તેવું સીજીએસટીની ટીમને ધ્યાન ઉપર આવ્યું હતું અને કુલ મળીને 14.66 કરોડથી વધુની ટેક્સ ચોરી સામે આવી હતી જેથી કરીને સીજીએસટીની ટીમ દ્વારા હાલમાં બે ડિરેક્ટર અને એક એકાઉન્ટ સાઈટ કુલ ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે વધુમાં મળતી વિગત પ્રમાણે પેન ડ્રાઈવ, લેપટોપ વિગેરે સાહિત્ય પણ સીજીએસટીની ટીમ દ્વારા કબજે કરીને તપાસ કરવામાં આવી રહી છે અને હજુ ટેક્સ ચોરીનો આંકડો વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે આ કેસમાં સીજીએસટી વતી એડવોકેટ અશોકસિંહ વાઘેલા, વાય.પી.જાડેજા, રાજેશભાઈ જલુ અને કાનજીભાઈ ગરચર રોકાયેલ છે






Latest News