મોરબી શહેરમાં કથળી ગયેલ કાયદો-વ્યવસ્થા માટે કોંગ્રેસ ગૃહમંત્રીને કરશે રજૂઆત
મોરબીમાં કરોડો રૂપિયાની ટેક્ષ ચોરીના કેસમાં હવે શું ?
SHARE
મોરબીમાં કરોડો રૂપિયાની ટેક્ષ ચોરીના કેસમાં હવે શું ?
મોરબીમાંથી સીજીએસટીની ટીમ દ્વારા ટેક્સ ચોરીમાં બે કારખાનેદાર સહિત ત્રણની ધરપકડ કરી હતી અને ત્રણેયને મોરબીની ચીફ જ્યુડીસ્યલ મેજિસ્ટર કોર્ટમાં ગુરૂવારે રજૂ કરાયા હતા ત્યારે બંન્ને પક્ષની દલીલ સાંભળીને કોર્ટે ૧૪.૬૬ કરોડની ટેકસ ચોરીના ગુનામાં ત્રણ આરોપીની જામીન અરજીને નામંજુર કરવામાં આવે છે તેનો હુકમ શુક્રવારે કરવામાં આવેલ છે અને હવે આગામી દિવાસીમાં આરોપીઓના વકીલ મારફતે મોરબીની સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવશે
મોરબીના લખધીરપુર રોડે આવેલ લેકસસ ગ્રેનાઇટોના ડીરેકટર અનિલ બાબુભાઈ દેત્રોજા અને હિતેશ બાબુભાઈ દેત્રોજા તેમજ લેક્સેસ કંપનીના એકાઉન્ટટ રાજેશ રણછોડભાઈ દેત્રોજાની સીજીએસટીની ટીમે ધરપકડ કરી હતી અને ગુરૂવારે મોરબીની ચીફ જ્યુડિશયલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કર્યા હતા અને આરોપીની જામીન અરજીની સુનાવણી કરવામાં આવી હતી અને કોર્ટે ગુરૂવારે જામીન અરજી નામંજૂર કરેલ છે તેવો ઓરલી ઓર્ડર કરી દીધો હતો અને ત્યાર બાદ શુક્રવારે તેનો ફાઇનલ ઓર્ડર થઈ ગયો છે ત્યારે ૨૦૨૧-૨૨ થી લઈને હાલ સુધીમાં કરવામાં આવેલ માલના વેચાણમાં અન્ડર વેલ્યુ અને વિધાઉટ બિલથી માલ આપવામાં આવ્યો હોય તેવું સીજીએસટીની ટીમને ધ્યાન ઉપર આવ્યું હતું અને કુલ મળીને ૧૪.૬૬ કરોડથી વધુની ટેક્સ ચોરીના કેસમાં બે ડિરેક્ટર અને એક એકાઉન્ટ સાઈટ કુલ ત્રણની ધરપકડ કરીને તેને હાલમાં જયુડિશયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલ છે ત્યારે આ અંગે આરોપીના વકીલ દિલીપભાઇ આગેચાણિયા સાથે વાત કરતાં તેને કહ્યું હતું કે હાલમાં જામીન અરજીને નામંજૂર કરવામાં આવી છે જેથી કરીને આગામી દિવાસોમાં સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરાશે