મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના જુદાજુદા ગામોમાં સીમા જાગરણ મંચ સહિતની 3 સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયા હળવદના કેદારીયા ગામ નજીકથી દારૂની 324 બોટલ સાથે બે શખ્સ પકડાયા: 1.51 લાખનો મુદામાલ કબ્જે ટીબી હારેગા ભારત જીતેગા: લાયન્સ ક્લબ ઑફ મોરબી સિટી દ્વારા કાર્યક્રમ યોજાયો માળીયા (મી) નજીકથી ચકમો આપીને 38 અબોલજીવ ભરેલ આઇસર અમદાવાદ લઈને જઈ રહેલા વાહન ચાલકને ધાંગધ્રા નજીકથી ગૌરક્ષકોએ પકડ્યો મોરબીમાં પરશુરામ જયંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાશે મોરબીમાં કામ ધંધો ચાલતો ન હોય પૈસાના ટેન્શનમાં ઘરેથી ચાલ્યો ગયેલ યુવાન મળી આવ્યો, માનસિક અસ્થિર યુવાનની પણ ભાળ મળી મોરબીના પેપર મિલ ઉદ્યોગ ઉપર 36 કરોડનું ભારણ વધ્યું, 45 હજાર ટન ઉત્પાદન ઘટ્યું: પ્રમુખ
Breaking news
Morbi Today

મોરબીની માથક શાળામાં બાલ સંસદની ચૂંટણી દ્વારા મહામંત્રીની પસંદગી કરવામાં આવી


SHARE













મોરબીની માથક શાળામાં બાલ સંસદની ચૂંટણી દ્વારા મહામંત્રીની પસંદગી કરવામાં આવી

માથક ગામની શાળામાં બાલ સંસદની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ હતુ.ત્યારબાદ વિદ્યાર્થીના ઉમેદવારી પત્રો ફોર્મ ભરવામાં આવ્યા. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ તેની ચકાસણી કરવામાં આવી.દરેક ઉમેદવારને તેમનુ નિશાન આપવામાં આવ્યું હતુ. મતદાન પ્રક્રિયાની તમામ બાબતોને આવરી લઈને મતદાન કરવામાં આવ્યું હતુ.મતદાન યોગ્ય રીતે થાય તે માટે મતદાન અધિકારીની નિમણૂક પણ કરવામાં આવી હતી.

વિદ્યાર્થી ગુપ્ત રીતે મતદાન કરી શકે તે માટે મતકુટીર બનાવવામાં આવી હતી. મતદાન માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિદ્યાર્થીએ મોબાઇલ એપ્લિકેશનની મદદથી મત આપ્યો હતો.મત આપતી વખતે વિદ્યાર્થીના ચહેરા ઉપર અનેરો આનંદ જોવા મળતો હતો.વિદ્યાર્થી ચૂંટણી બાદ તેની મતગણતરી કરવામાં આવી અને વિવિધ સમિતિઓ જેવી કે બાગાયત અને પાણી સમિતિ, પ્રાર્થના સમિતિ, લાઇબ્રેરી સમિતિ, રમતગમત અને પ્રવાસન સમિતિ, આરોગ્ય સમિતિ, સફાઈ સમિતિ, મધ્યાહન ભોજન સમિતિ, બાળહાટ સમિતિના મંત્રીની પસંદગી કરવામાં આવી હતી.

સૌથી વધુ મત મેળવી શાળાના મહામંત્રી તરીકે ભોરણીયા ધવલભાઇની પસંદગી કરવામાં આવી.શાળાના આશરે ૨૦૦ થી પણ વધારે વિદ્યાર્થીઓએ પોતાના મતદાનનો ઉપયોગ કરી વિવિધ સમિતિના મંત્રી અને મહામંત્રીની પસંદગી કરવામાં આવી હતી.શાળા શિક્ષણ દરમિયાન જ વિદ્યાર્થીમાં અનુભવજન્ય જ્ઞાન અને નેતૃત્વના ગુણો ખીલે તે હેતુસર શાળામાં બાળ સંસદની રચના કરવામાં આવી હતી.શાળાના શિક્ષક મનદીપભાઈ ગોસ્વામી અને કલ્પેશભાઈ મકવાણા દ્વારા આયોજન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.શાળાના આચાર્ય વાઘેલા અમરશીભાઈએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતુ.મંત્રી અને મહામંત્રીને શાળામાં શ્રેષ્ઠ કામગીરી કરવાની સૌએ શુભેચ્છા પાઠવી હતી.






Latest News