ગુજરાત સાહિત્ય અકાદમીની સ્પર્ધામાં ડો. સતીષ પટેલનું પુસ્તક રાજ્યમાં પ્રથમ ક્રમે વિજેતા
મોરબી જલારામ મંદિરે સદાવ્રતમા પ્રસાદ યોજી માતા-પિતાને શ્રધ્ધાંજલિ અર્પણ કરી
SHARE
મોરબી જલારામ મંદિરે સદાવ્રતમા પ્રસાદ યોજી માતા-પિતાને શ્રધ્ધાંજલિ અર્પણ કરી
સમગ્ર ગુજરાત રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ સામાજીક, સેવાકીય તથા રાજકીય ક્ષેત્રે આગવી પ્રતિભા ધરાવનાર જનસંઘ તથા ભાજપના પાયાના પથ્થર સમા સ્વ.અમૃતલાલ લીલાધરભાઈ કોટક તથા સ્વ. ભાનુબેન લીલાધરભાઈ કોટકના શ્રાધ્ધ નિમિતે તેમના સુપુત્રો દીપકભાઈ કોટક તથા અજયભાઈ કોટક દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવામા આવી હતી. આ તકે મોરબી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, હીતેશ જાની, ચિરાગ રાચ્છ, મનિષ પટેલ સહીતનાઓએ સ્વ. અમૃતલાલ લીલાધરભાઈ કોટક તથા તેમના ધર્મપત્નિ સ્વ.ભાનુબેન અમૃતલાલ કોટકને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.