મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીમાં એસીડ પીવડાવીને પ્રેમીની હત્યા: પ્રેમિકા અને તેના માતા-પિતા સામે ગુનો નોંધાયો


SHARE















મોરબીમાં એસીડ પીવડાવીને પ્રેમીની હત્યા: પ્રેમિકા અને તેના માતા-પિતા સામે ગુનો નોંધાયો

મોરબી શહેરના વીસીપરાની અંદર આવેલ રોહીદાસપરામાં રહેતા યુવાનને પ્રેમ સંબંધ હતો જેથી કરીને પ્રેમિકા અને તેના માતા પિતાએ તેની સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો ત્યાર બાદ તેને એસિડ પીવડાવી દીધૂ હતું જેથી કરીને ભોગ બનેલા યુવાને રાજકોટ સુધી સારવાર માટે લઈને ગયા હતા ત્યાં સારવાર દરમ્યાન તે યુવાનનું મોત નીપજયું હતું અને જેથી કરીને મૃતક યુવાનના ભાભીએ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને બે મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા રમેશ મનસુખ ચૌહાણ (૨૩) નામના યુવાનને ગત તા ૧૧ ના રોજ એસિડ પીવડાવી દેવામાં આવ્યું હતું જેથી તેને પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ હતો ત્યારે રમેશ ચૌહાણએ પોલીસને આપેલ નિવેદનમાં જણાવ્યુ હતું કેતેને પ્રેમ સબંધ હોય તેના બાબતે બોલાચાલી અને ઝઘડો કરીને અજાભાઈ અને દયાબેન નામના વ્યક્તિઓએ તેને એસિડ પીવડાવી દીધેલ છે જેથી કરીને પોલીસે રમેશ ચૌહાણ દ્વારા આપવામાં આવેલ નિવેદન મુજબની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં આ બનાવમાં મૃતક યુવાનની ભાભી શાંતુબેન ગોવિંદભાઇ હમીરભાઇ ચૌહાણ જાતે અનુ.જાતી (૫૪)એ હાલમાં અજયભાઇ બચુભાઇ શુકલ, દયાબેન અજયભાઇ શુકલ અને લતાબેન અજયભાઇ શુકલ રહે. બધા વીશીપરા મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી લતાબેન અજયભાઇ શુકલ સાથે તેના દિયરને પ્રેમ સબંધ હતો જે તેના માતા પિતાને સારું નહીં લગતા તેને બોલાવીને ત્રણેય વ્યક્તિએ મળીને તેને પકડીને એસિડ પીવડાવી દીધું હતું જેથી કરીને ફરિયાદીના દિયરનું મોત નીપજયું છે હાલમાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે આગળની કાર્યવાહી કરેલ છે






Latest News