મોરબી પાલિકાના 3 માજી પ્રમુખ, જિલ્લા પંચાયતના 1 માજી ચેરમેન, વાંકાનેર પાલિકાના 1 માજી પ્રમુખ સહિત ભાજપ પક્ષમાંથી કુલ 24 આગેવાનો 6 વર્ષ માટે સસ્પેન્ડ વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ મોરબીના ઘૂટું ગામે યુવાનને બે શખ્સોએ પાઇપ અને ધોકા વડે માર મારતા માથામાં હેમરેજ વાંકાનેરના મેસરીયા પાસે ગોલો ખાઈને પરત જતાં લોકોની કારનું ટાયર ફાટતા સર્જાયેલ અકસ્માતમાં એક સગીરાનો પગ કપાઈ ગયો
Breaking news
Morbi Today

મોરબીમાં એસીડ પીવડાવીને પ્રેમીની હત્યા: પ્રેમિકા અને તેના માતા-પિતા સામે ગુનો નોંધાયો


SHARE













મોરબીમાં એસીડ પીવડાવીને પ્રેમીની હત્યા: પ્રેમિકા અને તેના માતા-પિતા સામે ગુનો નોંધાયો

મોરબી શહેરના વીસીપરાની અંદર આવેલ રોહીદાસપરામાં રહેતા યુવાનને પ્રેમ સંબંધ હતો જેથી કરીને પ્રેમિકા અને તેના માતા પિતાએ તેની સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો ત્યાર બાદ તેને એસિડ પીવડાવી દીધૂ હતું જેથી કરીને ભોગ બનેલા યુવાને રાજકોટ સુધી સારવાર માટે લઈને ગયા હતા ત્યાં સારવાર દરમ્યાન તે યુવાનનું મોત નીપજયું હતું અને જેથી કરીને મૃતક યુવાનના ભાભીએ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને બે મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા રમેશ મનસુખ ચૌહાણ (૨૩) નામના યુવાનને ગત તા ૧૧ ના રોજ એસિડ પીવડાવી દેવામાં આવ્યું હતું જેથી તેને પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ હતો ત્યારે રમેશ ચૌહાણએ પોલીસને આપેલ નિવેદનમાં જણાવ્યુ હતું કેતેને પ્રેમ સબંધ હોય તેના બાબતે બોલાચાલી અને ઝઘડો કરીને અજાભાઈ અને દયાબેન નામના વ્યક્તિઓએ તેને એસિડ પીવડાવી દીધેલ છે જેથી કરીને પોલીસે રમેશ ચૌહાણ દ્વારા આપવામાં આવેલ નિવેદન મુજબની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં આ બનાવમાં મૃતક યુવાનની ભાભી શાંતુબેન ગોવિંદભાઇ હમીરભાઇ ચૌહાણ જાતે અનુ.જાતી (૫૪)એ હાલમાં અજયભાઇ બચુભાઇ શુકલ, દયાબેન અજયભાઇ શુકલ અને લતાબેન અજયભાઇ શુકલ રહે. બધા વીશીપરા મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી લતાબેન અજયભાઇ શુકલ સાથે તેના દિયરને પ્રેમ સબંધ હતો જે તેના માતા પિતાને સારું નહીં લગતા તેને બોલાવીને ત્રણેય વ્યક્તિએ મળીને તેને પકડીને એસિડ પીવડાવી દીધું હતું જેથી કરીને ફરિયાદીના દિયરનું મોત નીપજયું છે હાલમાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે આગળની કાર્યવાહી કરેલ છે






Latest News