મોરબીના માણેકવાડા ગામે પરણિતાના આપઘાત કેસમાં સાસુ-સસરાને પાંચ વર્ષની સજા
વાંકાનેરના અમરસર ગામે ભેંસ ચરાવવા મુદ્દે યુવાન પર હુમલો
SHARE
વાંકાનેરના અમરસર ગામે ભેંસ ચરાવવા મુદ્દે યુવાન પર હુમલો
(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેર તાલુકાનાં અમરસર ગામે ખેતરમાં ભેંસ ચરાવવા જેવી નજીવી બાબતે ભરવાડ યુવાન પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને તેને ગંભીર ઇજા થઈ હોવાથી તેને વાંકાનેરથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે જ્યારે અમરસર ગામે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ભરવાડ સમાજનાં અગ્રણી હીરાભાઈ બાંભવાએ આપેલ પ્રાથમિક માહિતી અનુસાર અમરસર ગામે ખેતરમાં ભેંસ ચરાવવા જેવી નજીવી બાબતે જગા વેલા ગમારા ભરવાડ યુવાન પર હુમલો થતાં ટોળા ઉમટી પડયાં હતાં, યુવાનને ગંભીર ઇજા થતાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જ્યારે મામલો વધુ ઉગ્ર ન બને તે માટે શહેર પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, અને હુમલા ખોર કોણ છે તે દિશામાં તપાસ શરૂ કરી ધરી પોલીસ ફરિયાદ લેવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.









