મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી: કરિયાવર વધુ લાવવા દબાણ કરતાં પતિ સહિતના પાંચ સામે ગુનો નોંધાયો


SHARE











મોરબી: કરિયાવર વધુ લાવવા દબાણ કરતાં પતિ સહિતના પાંચ સામે ગુનો નોંધાયો

મોરબીમાં ભવાની ચોક મસ્જિદ પાસે હાલમાં રહેતી મહિલાએ તેના પતિ સહિતના સાસરિયાઓ સામે ખોટા બહાના કાઢીને કરિયાવર વધુ લઈ આવવા માટે દબાણ કરતા હોવાની ફરિયાદ નોંધાવી છે જેના આધારે મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે પતિ સહિતના પાંચ આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે હાલમાં મોરબી શહેરમાં આવેલ ભવાની ચોક પાસે મદીના મસ્જિદ નજીક રહેતા રૂકૈયાબેન આરીફભાઇ સલીમભાઇ ચાનીયા જાતે મુસ્લીમ (૩૦) એ મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ આરીફભાઇ સલીમભાઈ ચાનીયા, સસરા સલીમભાઈ ચાનીયા, સાસુ સકીનાબેન ચાનિયા, નણંદ નફીસાબેન ચાનિયા અને ફિરદોષબેન ચાનીયાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, આરોપીઓ તેને ઘરકામ બાબતે મેણાં ટોણાં મારતા હતા તેમજ ખોટા બહાના કાઢીને ગાળો આપીને કરિયાવર વધુ લાવવા માટે દબાણ કરતા હતા અને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા જેથી પરણીતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી મહિલાના પતિ સહિત પાંચ વ્યક્તિઓની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે






Latest News