ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં રૂ.૧૨ લાખ લીધા બાદ દસ્તાવેજ ન કરી આપનાર બિલ્ડર સામે કાર્યવાહી


SHARE













મોરબીમાં રૂ.૧૨ લાખ લીધા બાદ દસ્તાવેજ ન કરી આપનાર બિલ્ડર સામે કાર્યવાહી

મોરબીના રહીશ ચંદુભાઇ કાલરીયાએ રાજેશ થોભણભાઇ સનારીયા સામે ફલેટના સાટાખત કરેલ અને દસ્તાવેજ કરેલ નહી તે બાબત મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં ફરીયાદ દાખલ કરતા ગ્રાહક અદાલતે રાજેશભાઇના રૂા.બાર લાખ નવ ટકાના વ્યાજ સાથે તેમજ પાંચ હજાર ખર્ચના મંજુર કરતા આ રકમ કેઇસ દાખલ તા.૧૯/૩/૨૦૨૨ થી ચુકવવાનો આદેશ કરેલ છે.

મોરબીના રહીશ ચંદુભાઇ કાલરીયાએ રવાપર રોડ પર બનતા ફલેટ જે રાજેશ થોભણભાઇ સનારીયા બનાવતા હોય અને તેમને એડવાન્સ પેટે બાર લાખ રૂપિયા ચંદુભાઇ કાલરીયા પાસે લીધેલ અને દસ્તાવેજ કરી આપવાની બાહેધરી લીધેલી પરંતુ દસ્તાવેજ ન કરતાં ચંદુભાઇ કાલરીયાએ મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા ગ્રાહક અદાલતે રાજેશભાઇ સનારીયાને બાર લાખ તથા પાંચ હજાર ખર્ચના તા. ૧૯-૩-૨૧ થી નવ ટકાના વ્યાજ થી ચુકવવા હુકમ કરેલ છે. રાજેશભાઇ ગ્રાહક અદાલતમાં હાજર નહી રહેતા એક તરફી હુકમ કરવામાં આવેલ છે. ગ્રાહકે પોતાના હકક અને હિત માટે લડવું જોઇએ મોરબી જિલ્લામાં બીલ્ડરો એન્ડવાન્સ પૈસા લઇને પછી દસ્તાવેજ કરતાં નથી એવી ફરીયાદો ઉઠી છે ગ્રાહકે જાગૃત થવાની જરૂરત છે મકાન ખરીદતા પહેલા તમામ કાગળો જોઇ લેવા અને બાંધકામની મંજુરી છે કે નહીં તે તપાસી લેવી જેથી ગ્રાહકને પાછળથી પસ્તાવુ ના પડે કોઇપણ ગ્રાહકે અન્યાય થાય કે છેતરપીંડીનો ભોગ બને તો પ્રમુખ લાલજીભાઇ મહેતા મંત્રી રામ મહેતાનો સંપર્ક કરવો.તેમના મોબાઇલ નં.૯૮૨૫૭ ૯૦૪૧૨ છે. #MORBITODAY






Latest News