મોરબી: આર્મી, એરફોર્સ તથા પોલીસ ફોર્સના ઉમેદવારો માટે ૩૦ દિવસના તાલીમ વર્ગનું આયોજન
માળિયા-દેરાળા રૂટના વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા ન કરાઇ તો આંદોલન: એબીવીપી
SHARE
માળિયા-દેરાળા રૂટના વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા ન કરાઇ તો આંદોલન: એબીવીપી
મોરબી એબીવીપી શાખા દ્વારા વિધાર્થીઓને માળિયા-દેરાળા રૂટની બસને લઈને સમસ્યા છે તેનું સમાધાન કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે અને વિધાર્થીઓને જે હાલાકી પડી રહી છે તેને દૂર કરવાની માંગ કરવામાં આવી છે
મોરબી એબીવીપી દ્વારા માળિયા-દેરાળા રૂટ પરની બસ એક જ આવે છે અને જ્યારે બસની સામે વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાથી વિધાર્થીઓને હેરાન થવું પડે છે જેથી કરીને વિદ્યાર્થીઓએ હેરાન થતાં હોવાથી વિધાર્થી દ્રારા અનેક વખત એસટી વિભાગમા મૌખિક રજુઆત કરવામાં આવી છે તો પણ એસટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની વાત સાંભળીને વિદ્યાર્થીઓના હિત માટે બસ વધારી નથી ત્યારે મોરબી એબીવીપી દ્વારા એસટી વિભાગને આવેદનપત્ર આપીને બસ વધારવા માટેની ઉગ્ર રજુઆત કરવામાં આવી છે અને આગામી સમયમાં વિધાર્થીઑની સમસ્યા ઉકેલવામાં નહિ આવે તો આંદોલન કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી એસટી વિભાગની રહેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે









