ટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિ મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી મોરબીના મણી મંદિર પાસે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છભરમાં સેવા કાર્યોનું આયોજન મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છની વરણી મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા ભાજપ સાંસ્કૃતિક સેલ દ્વારા ઉમા હોલ ખાતે યોજાયો “નમો ડાયરો”


SHARE













મોરબી જીલ્લા ભાજપ સાંસ્કૃતિક સેલ દ્વારા ઉમા હોલ ખાતે યોજાયો “નમો ડાયરો”

મોરબી નજીકના રવાપર ગામ પાસે આવેલ ઉમા હોલ ખાતે નમો ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં મોરબી જીલ્લા ભાજપ સાંસ્કૃતિક સેલના હોદેદાર એવા કલાકોરા દ્વારા તેની કલા રજુ કરવામાં આવી હતી અને ખાસ કરીને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા છેલ્લા ૨૦ વર્ષમાં જેક કામ કરવામાં આવ્યા છે તેને કલાના હળવા માધ્યમથી લોકો સુધી પહોંચાડવામાં આવ્યા હતા

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા તાજેતરમાં સાંસ્કૃતિક સેલની રચના કરવામાં આવી છે તેમાં સંયોજક તરીકે દેવેનભાઇ વ્યાસને લેવામાં આવેલ છે ત્યારે મોરબી જિલ્લા સાંસ્કૃતિક સેલના સંયોજક દેવેનભાઇ વ્યાસ અને તેમની ટીમ દ્વારા રવાપરલગામે આવેલા ઉમા હોલ ખાતે નમો ડાયરાનું આયોજન કરવામાં આવ્યુ હતુ આ નમો ડાયરામાં કલાકારો દ્વારા નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા છેલ્લા ૨૦ વર્ષની અંદર કેન્દ્ર અને રાજ્ય સરકારમાં જે કામગીરી કરવામાં આવી છે તેને જન જન સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને કલાકારો દ્વારા લોક સાહિત્ય, હાસ્ય અને ભજનના માધ્યમથી કલાકારો દ્વારા જુદીજુદી કૃતિઓ રજુ કરવામાં આવી હતી અને સરકારે લોકોની સુખાકારીમાં વધારવા થાય તે માટે લીધેલા નિર્ણયોની ઝાંખી લોકોને કરાવી હતી અને કલાના માધ્યમથી નરેન્દ્ર મોદીના જન્મથી લઇને દિલ્હીની ગાદી સુધીની સફર વિષેની માહિતી રજુ કરી હતી








Latest News