મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાનો મહાકાય મચ્છુ-૧ ડેમ ઓવરફ્લો: વાંકાનેર-ટંકારામાં એક વર્ષ સુધી પાણીનું સંકટ ટળ્યું


SHARE







મોરબી જિલ્લાનો મહાકાય મચ્છુ-૧ ડેમ ઓવરફ્લો: વાંકાનેર-ટંકારામાં એક વર્ષ સુધી પાણીનું સંકટ ટળ્યું

મોરબી જિલ્લાનો મહાકાય મચ્છુ-૧ ડેમની ઉપરના ભાગમાં સારો વરસાદ હોવાથી ડેમમાં પાણીની આવક થવા લાગી છે જેથી કરીને ડેમમાં આજની તારીખે પણ ૧૯૯૧ કયુંસેક પાણીની આવક ચાલુ છે અને હાલમાં સિંચાઇ વિભાગના અધિકારી પાસેથી મળી રહેલી માહિતી મુજબ મહાકાય મચ્છુ-૧ ડેમ ઓવરફ્લો થઈ ગયેલ છે જેથી કરીને બે તાલુકાનાં ૨૪ ગામોને એલર્ટ કરવામાં આવેલ છે

મોરબી જીલ્લામાં કુલ મળીને ૧૦ ડેમ આવે છે જેમાં સૌથી મહાકાય મહાકાય મચ્છુ-૧ ડેમમાં પાણી ભરાતા મોરબીવાંકાનેર અને ટંકારા તાલુકાનાં લોકોને પાણી માટેની ચિંતા દૂર થઈ જાય છે ત્યારે હાલમાં મોરબી મહાકાય મચ્છુ-૧ ડેમની ઉપરની બાજુએ સારો વરસાદ છે જેથી કરીને ડેમમાં હવે પાણીની આવક થવા લાગી છે જેથી કરીને આ ડેમની નીચે આવતા ગામોને સિંચાઇ વિભાગ દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે

મોરબી તાલુકાનાં ૪  અને વાંકાનેર તાલુકાનાં ૨૦ ગામોને સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા એલર્ટ કરાયા હતા અને કોઈને પણ મચ્છુ નદીના પટમાં ન જવા માટેની સૂચના આપવામાં આવી છે હાલમાં ડેમના ઉપર વાસમા વરસાદના લીધે ડેમમાં પાણીની આવક ૧૯૯૧ કયુસેક ચાલુ છે અને ૪૯ ફૂટની ઊંચાઈ ધરાવતો આ મહાકાય મચ્છુ-૧ ડેમ આજે વહેલી સવારે ૨૪૩૫ એમસીએફટી જળ જથ્થો ભરાઈ જતાં હાલમાં ઓવરફ્લો થઈ ગયેલ છે તેવું અધિકારી જણાવ્યુ છે અને હવે મચ્છુ-૧ માંથી ઓવરફ્લો થતું પાણી મચ્છુ નદી મારફતે મચ્છુ-૨ ડેમમાં આવશે જેથી કરીને મચ્છુ-૨ ડેમ પણ ઝડપથી ઓવરફ્લો થશે તેવું લાગુ રહયું છે

અત્રે ઉલેખનીય છે કે, મહાકાય મચ્છુ-૧ ડેમ આખો ભરાઈ ગયો છે જેથી કરીને આગામી એક વર્ષ માટે વાંકાનેર શહેર અને તાલુકામાં પીવાના પાણીનું સંકટ ટળી ગયું છે અને વાંકાનેર તેમજ ટંકારા તાલુકામાં ખેડૂતોને સિંચાઇ માટે આ ડેમમાંથી પાણી આપવામાં આવે છે ત્યારે આ ડેમ છલોછલ ભરાઈ ગયો હોવાથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે કોઈને પણ હવે મચ્છુ-૧ ડેમ હેઠળના વિસ્તારમાં મચ્છુ નદીના પટમાં ન જવા માટે અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી છે






Latest News