મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે સુપર માર્કેટ પાસેથી બાઈકની ચોરી


SHARE















મોરબીના શનાળા રોડે સુપર માર્કેટ પાસેથી બાઈકની ચોરી

મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટના પાર્કિંગમાં બાઇકને પાર્ક કરીને મૂકવામાં આવ્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૪૦,૦૦૦ ની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે,

જાણવા મળતી માહિતી મુજબ જામનગર જિલ્લાના લતીપુર ગામના રહેવાસી રાહુલભાઈ રાજેશભાઈ ગજીયા જાતે બોરીચા (૨૩)એ અજાણ્યા શખ્સની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટના પાર્કિંગમાં તેણે પોતાનું બાઈક નંબર જીજે ૧૦ ડિક્યું ૨૬૧૨ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૪૦ હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવા અંગેની હાલમાં રાહુલભાઈ ગજીયાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના હળવદ રોડ ઉપર મહેન્દ્રનગર ચોકડીથી આગળ આવેલ શબરી હોટલ પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જે બનાવમાં ઈજા પામેલ બીરેશરાજ સૂર્યવંશી (૨૧) રહે. મોરબી શનાળા બાયપાસ વાળાને ઈજા થતા ૧૦૮ વડે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને અહીં પ્રાથમિક સારવાર કર્યા બાદ તેને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયોનું જાણવા મળેલ છે.બનાવ સંદર્ભે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડાએ તપાસ હાથ ધરી હતી.

વૃદ્ધ સારવારમાં

મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશિપ નજીક આવેલ અરૂણોદયનગર વિસ્તારમાં રહેતા દિલુભા માલુભા જાડેજા નામના ૭૦ વર્ષના વૃદ્ધને મોરબીના સામાકાંઠે આવેલા નટરાજ નાટક પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા તેઓને અત્રેની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા અને આ બનાવ સંદર્ભે હોસ્પિટલ તરફથી જાણ કરાયેલી હોય સીટી બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા નોંધ કરીને આ અંગે તપાસ કરવામાં આવી હતી.






Latest News