મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના નાનીવાવડી ગામે ઘરમાંથી મોબાઇલની ચોરી કરનાર આરોપીની ધરપકડ


SHARE















મોરબીના નાનીવાવડી ગામે ઘરમાંથી મોબાઇલની ચોરી કરનાર આરોપીની ધરપકડ

મોરબી તાલુકાના નાનીવાવડી ગામે રહેતો યુવાન પોતાના ઘરે ઉપરના માળે સૂતો હતો ત્યારે ખાટલા નીચે મોબાઈલ ફોન રાખ્યો હતો તે મોબાઈલ ફોનની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને નાનીવાવડી ગામે વણકરવાસમાં રહેતા એક શખ્સની સામે તેણે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લઇને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નાનીવાવડી ગામે વણકરવાસમાં રહેતા પ્રકાશભાઈ વાલજીભાઈ વાઘેલા (ઉમર ૨૭) નામના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મયુર પ્રેમજીભાઈ સોલંકી રહે.નાની વાવડી વણકરવાસ વાળાની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, નાનીવાવડી ગામે પોતાના રહેણાંક મકાનમાં ઉપરના માળે આવેલ રૂમમાં ફરિયાદી યુવાન સૂતો હતો ત્યારે તેના ખાટલા નીચે તેણે પોતાનો ઓપો કંપનીનો મોબાઇલ ફોન રાખ્યો હતો જે મોબાઈલ ફોનની મયુરભાઈ સોલંકી દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને યુવાન દ્વારા નોંધવામાં આવેલ ચોરીની ફરિયાદ આધારે તાલુકા પોલીસ મથકના નેહલબેન ખડિયા દ્વારા આરોપી મયુરભાઈ પ્રેમજીભાઈ સોલંકી (૧૯) રહે.નાની વાવડી વાળાની ચોરીના ગુનામાં ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પરણીતા સારવારમાં

મોરબી તાલુકાના ફડસર ગામે રહેતા રેખાબેન લક્ષ્મણભાઈ પાસઇવા નામની ૪૦ વર્ષીય મહિલાને મારામારીમાં ઈજા થતા સારવાર માટે અત્રની સિવિલે લાવવામાં આવી હતી તેણીના જણાવ્યા પ્રમાણે ફડસર ગામે કાનાભાઈની વાડીએ રહીને તેઓ મજૂરી કામ કરે છે અને ત્યાં તેમના પતિ દ્વારા તેમને કોઈ બાબતે ઝઘડો થયા બાદ માર મારવામાં આવતા ઉજા થતા સારવારમાં લાવવામાં આવ્યા હતા બનાવ અંગે તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણી દ્વારા નોંધ કરી તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે મોરબી તાલુકાના માનસર ગામે રહેતો વિક્રમ કાનજીભાઈ સુરેલા નામનો ૩૧ વર્ષનો યુવાન ગામમાંથી પોતાના ખેતરે આંટો મારવા માટે ગયો હતો ત્યાં ખેતરે અકસ્માતે પડી જતા ઈજા થતાં તેને અત્રે ખાનગી હોસ્પિટલે સારવાર માટે લવાયો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના જેતપર પીપળી રોડ ઉપર રહેતા વરદીરામ અંબારામ આદિવાસી નામના ૩૭ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતા ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેણે જણાવ્યા પ્રમાણે તે પોતાનો ટ્રક લઈને મોરબીના વાંકાનેર હાઈવે ઉપર આવેલ બંધુનગર ગામેથી પરત મોરબી તરફ આવતો હતો ત્યારે વહેલી સવારે સાડા છએક વાગ્યાના અરસામાં રફાળેશ્વર નજીક દરિયાલાલ રિસોર્ટની પાસે તેનો ટ્રક અન્ય ટ્રક સાથે અથડાયો હતો જે બનાવમાં તેને ઈજા થતાં દવાખાને લઈ જવાયો હતો હાલ આ બનાવ અંગે તાલુકા પોલીસ મથકના મહેશભાઈ કહાંગરા દ્વારા નોંધ કરીને વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News