મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરે ઝગડો થતા નીકળી ગયેલ મહિલાને ૧૮૧ ની ટીમે સમજાવીને પરત ઘરે પહોંચાડી


SHARE















મોરબીમાં ઘરે ઝગડો થતા નીકળી ગયેલ મહિલાને ૧૮૧ ની ટીમે સમજાવીને પરત ઘરે પહોંચાડી

મહિલાઓની મદદ માટે સતત રાત-દિવસ કાર્યરત રહેતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સેવા ખરેખર બહેનો માટે આશીર્વાદરૂપ રહી છે.ત્યારે મોરબી ૧૮૧ અભયમની ટીમને કોલ દ્વારા માહિતી મળી હતી કે એક મહિલા ઘરેથી નીકળી ગયા છે તેઓ ખૂબ જ ચિંતામાં છે અને ખૂબ જ રડે છે તેમજ પીડિતા બહેન વારંવાર એક જ શબ્દ બોલતા હતા કે મારે મરી જવું છે જેથી ૧૮૧ અભયમના કાઉન્સેલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ જ્યોત્સનાબેન પરમાર તેમજ પાયલોટ રાજભાઈ ઘટના સ્થળે અજાણ્યા બહેનની મદદ માટે પહોંચ્યા હતા.

૧૮૧ ની ટીમે પીડિતાને સમજાવ્યાં અને તેમનું કાઉન્સિલીગ કયું બહેન સાથે ૧૮૧ અભયમ ટીમે વાતચીત કરી વાતચીત કરતા જણાવ્યું હતું કે પીડિતા બહેનના આજથી પંદર વર્ષ પહેલાં તેમના લગ્ન થયા છે મહિલા તેમના પતિ બે બાળકો અને તેમના સાસુ સહિતના પરિવાર સાથે રહે છે.તેમના પતિને કેફી દ્રવ્યનું સેવન કરવાની આદત હોય અને બહેન સાથે મારઝુડ કરતા હોય તેમજ નાની-નાની વાતે ઘરમાં રોજ બહેનને માનસિક ત્રાસ આપતા હોય તેમજ અપશબ્દો બોલતા હોય તેથી પીડિતા બહેન કંટાળીને ઘર છોડીને કોઈને પણ જાણ કર્યા વિના ઘરની બહાર નીકળી ગયા હતાં પીડિતા બહેનને આશ્વાશન આપી  તેમજ બહેનને કુશળ કાઉન્સિલિંગ દ્વારા આપઘાત કરવાના વિચારમાંથી મુક્ત કર્યા તેમજ પીડિતાએ ઘરે જવાની તૈયારી દર્શાવતા પીડિતા પાસેથી તેમના પતિનો ફોન નંબર મેળવી તેમના પતિ સાથે મોબાઈલ દ્વારા વાતચીત કરી તેમના ઘરનું સરનામું જાણી ૧૮૧ અભયમ ટીમે પિડીતાની સાથે તેમના પતિને મળી ઘટનાની તમામ માહિતી આપી હતી.ત્યારબાદ અભયમની ટીમે પતિનું કાઉન્સિલીગ કરતા જણાવ્યું હતું કે મારઝુડ કરવી તે ગુનો છે સહિતની કાયદાકીય માહિતી આપી હતી. આમ અભયમ ટીમ દ્વારા તેના પતિને સલાહ સુચન અને માર્ગદર્શન આપી તેમના વચ્ચે સુખદ સમાધાન કરાવ્યું હતું અને પિડિતા મહિલાને સલામત તેમના પતિને સોંપવા બદલ પરીવારે ૧૮૧ ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News