મોરબીના ગાળા નજીક તાજેતરમાં ગામના લોકોએ ખુલ્લા મૂકેલા પુલમાં કોન્ક્રીટ ઉડવા લાગી !
વાંકાનેરના મહારાણા-સાંસદ દ્વારા મચ્છુ-૧ ડેમમાં નવા નીરના કરાયા વધામણાં
SHARE
વાંકાનેરના મહારાણા-સાંસદ દ્વારા મચ્છુ-૧ ડેમમાં નવા નીરના કરાયા વધામણાં
વાંકાનેર તાલુકા ઉપરાંત ટંકારા અને મોરબી જિલ્લા માટે આશીર્વાદ સમાન મચ્છુ -૧ ડેમ છેલ્લા ચાર વર્ષથી ચોમાસામાં ઓવરફ્લો થઈ છે તેવી જ રીતે ચાલુ વર્ષ ચોમાસામાં ઓવરફ્લો થયેલ છે એટ્લે કે છેલ્લા પાંચ વર્ષથી આ ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે જેથી લોકોને પીવાના અને સિંચાઇ માટેના પાણીની કોઈ ચિંતા રહેતી નથી ત્યારે વાંકાનેરના મહારાણા અને નવનિયુક્ત રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાના હસ્તે શાસ્ત્રોક વિધિ પ્રમાણે જળાશયમાં ધડી, મોળ્યો, ચુંદડી, શ્રીફળ અને ફૂલ મૂકીને નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. આ તકે વાંકાનેર તાલુકા અને જિલ્લા ભાજપ પરિવારના હોદેદારો, આગેવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા