વાંકાનેરના મહારાણા-સાંસદ દ્વારા મચ્છુ-૧ ડેમમાં નવા નીરના કરાયા વધામણાં
મોરબી નજીક મહાદેવ મહેર સેવાધામ ભાગવત કથાનું આયોજન
SHARE
મોરબી નજીક મહાદેવ મહેર સેવાધામ ભાગવત કથાનું આયોજન
મોરબીના રવાપર ધુનડા રોડ પર આવેલા મહાદેવ મહેર (સેવાધામ) ખાતે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે અને તેનો લાભ લેવા માટે ધર્મપ્રેમી જનતાને આયોજકોએ અનુરોધ કરેલ છે
હાલમાં પુરુષોત્તમ મહિનો ચાલી રહીછે ત્યારે આગામી તા.૨૯ જુલાઈને શનિવારથી મોરબીના રવાપર ધુનડા રોડ પર આવેલા મહાદેવ મહેર (સેવાધામ) ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાર શિવ ધૂન મંડળ દ્વારા આયોજિત આ કથામાં કથાકાર થોભણભાઈ પટેલ (નાનાભેલાવાળા) શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે અને દરરોજ બપોરે ૩:૩૦ થી ૬ વાગ્યા સુધી કથા ચાલશે અને કથામાં ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ કથાની પોથી યાત્રામાં બગથળા નકલંગ ધામના મહંત દામજી ભગત સહિતના લોકો હાજર રહેવાના છે આ કથાના આયોજનમાં શિવ ધૂન મંડળ પરિવાર ક્રિષ્ના સ્કૂલની આજુબાજુની સોસાયટીઓ તથા એપાર્ટમેન્ટમાં રહેતા તમામ ધર્મપ્રેમી ભાઈઓ-બહેનોનો સાથ સહકાર મળી રહ્યો છે અને ધર્મપ્રેમી લોકોને કથાનો લાભ લેવા માટે આયોજકોએ આમંત્રણ આપ્યું છે