ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રપરા પાસે ગળાફાંસો ખાઇ જતાં યુવાનનું મોત


SHARE











મોરબીના મહેન્દ્રપરા પાસે ગળાફાંસો ખાઇ જતાં યુવાનનું મોત

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં યુવાન ગળેફાંસો ખાઇ જતાં તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડીને બનાવના કારણ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વજેપર વિસ્તારમાં રહેતો તુષાર કરશનભાઈ સવધાર નામનો ૧૮ વર્ષીય યુવાન મોરબીના મહેન્દ્રપરા નજીક આવેલ આસ્વાદ પાનની બાજુમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઇ જતાં તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવવામાં આવ્યો હતો.બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વી.પી.છાસીયાએ બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ચારને ઇજા

મોરબીના સામાકાંઠે નજરબાગ વિસ્તારમાં સાયન્સ કોલેજની પાછળ રહેતા રાહુલ સોમાભાઇ કોળી નામના ૩૫ વર્ષીય યુવાનને મારામારીમાં ઇજા થતાં તેને મોડી રાત્રીના સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે ફિલ્ટર હાઉસ પાસે રહેતા રમેશ કરશનભાઈ નામના ૩૮ વર્ષીય યુવાનને શહેરના સામાકાંઠે ભડીયાદ રોડ ઉપર આવેલ જંગલેશ્વર મહાદેવ મંદિર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થતા તેને પણ સારવાર માટે મોડી રાત્રીના સિવિલ હોસ્પિટલે લઇ જવાયો હતો બંને બનાવો અંગે બી ડિવિઝન પોલીસ મથકના જશપાલસિંહ જાડેજાએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

જ્યારે મોરબીના વીસીપરામાં આવેલા રોહીદાસપરા વિસ્તારમાં રહેતા કાનજીભાઈ વીરાભાઇ બળધા નામના ૬૦ વર્ષીય વૃદ્ધને તેમના ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈ જવાયા હતા.તેમજ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ લાયન્સનગર વિસ્તારમાં રહેતા ધર્મેશ વરસીંગભાઇ હળવદિયા નામના ૩૪ વર્ષીય યુવીનને પણ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.

 






Latest News