મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં દારૂ-બિયરની બે અને જુગારની બે રેડ મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર
Breaking news
Morbi Today

વાંકાનેરના મહીકા ગામના યુવાન પાસેથી ટ્રકની ખરીદી કરીને રૂપિયા ન આપ્યા !


SHARE















વાંકાનેરના મહીકા ગામના યુવાન પાસેથી ટ્રકની ખરીદી કરીને રૂપિયા ન આપ્યા !

વાંકાનેર તાલુકાના મહીકા ગામે રહેતા યુવાને તેની માલિકીનો ટ્રક જે શખ્સને વેચ્યો હતો તેણે અડધી રકમ આપ્યા બાદ બાકીની અડધી રકમ આપી ન હતી જેથી વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરેલ હોવાથી ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મહીકા ગામે રહેતા કુલદીપભાઈ નરોતમભાઈ મીણીયા જાતે કોળી (૨૫)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભુરાભાઈ દાનાભાઈ મોરી રહે. રાતડી તાલુકો પોરબંદર વાળાની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેની માલિકીનો ટ્રક નંબર જીજે ૩ એટી ૪૬૨૪ ૫.૫૦ લાખ રૂપિયામાં આરોપી ભુરાભાઈ દાનાભાઈ મોરીએ ખરીદ્યો હતો અને જે તે સમયે ટ્રકની અડધી રકમ ૨.૭૫ લાખ આપી દીધી હતી જોકે બાકીના ૨.૭૫ લાખ રૂપિયા ન આપીને ફરિયાદીના નાણા ઓળવી જઈને તેની સાથે ઠગાઈ અને વિશ્વાસઘાત કરેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ ૪૦૬, ૪૨૦ મુજબ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News