મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક ટ્રેન હેઠળ ઝંપલાવીને અજાણ્યા યુવાને જીવન ટુકાવ્યું 


SHARE







વાંકાનેર નજીક ટ્રેન હેઠળ ઝંપલાવીને અજાણ્યા યુવાને જીવન ટુકાવ્યું 

વાંકાનેરમાંથી પસાર થતી સોમનાથ અમદાવાદ સીટી એક્સપ્રેસ ટ્રેન હેઠળ ઝંપલાવીને અજાણ્યા યુવાને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ ચાલી રહી છે. 

બનાવી જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર રેલવે આઉટ પોસ્ટ ઉપર ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સટેબલ ખોડાભાઈ ગંગારામભાઈ દ્વારા વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવી હતી કે વાંકાનેરમાંથી પસાર થતી સોમનાથ અમદાવાદ સીટી એક્સપ્રેસ ટ્રેન હેઠળ ઝંપલાવીને અજાણ્યા ૪૫ વર્ષના યુવાને આપઘાત કરી દીધેલ છે જેથી મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને વાંકાનેર સિટી પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં મૃતક યુવાની ઓળખ મેળવવા માટે તજવીજ ચાલી રહી છે અને આગળની વધુ તપાસ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના વનરાજસિંહ અભેસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.

બાઇક સ્લીપ

મોરબી નજીકના રાજપર કુંતાસી ગામે રહેતો અરવિંદભાઈ દેત્રોજા (૩૫) નામનો યુવાન પોતાનું બાઈક લઈને ઘરેથી ખેતર તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં રેતીના ઢગલાના કારણે બાઇક સ્લીપ થઈ જતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં અરવિંદભાઈ દેત્રોજાને ઇજા થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News