મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક ટ્રેન હેઠળ ઝંપલાવીને અજાણ્યા યુવાને જીવન ટુકાવ્યું 


SHARE













વાંકાનેર નજીક ટ્રેન હેઠળ ઝંપલાવીને અજાણ્યા યુવાને જીવન ટુકાવ્યું 

વાંકાનેરમાંથી પસાર થતી સોમનાથ અમદાવાદ સીટી એક્સપ્રેસ ટ્રેન હેઠળ ઝંપલાવીને અજાણ્યા યુવાને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ ચાલી રહી છે. 

બનાવી જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર રેલવે આઉટ પોસ્ટ ઉપર ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સટેબલ ખોડાભાઈ ગંગારામભાઈ દ્વારા વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવી હતી કે વાંકાનેરમાંથી પસાર થતી સોમનાથ અમદાવાદ સીટી એક્સપ્રેસ ટ્રેન હેઠળ ઝંપલાવીને અજાણ્યા ૪૫ વર્ષના યુવાને આપઘાત કરી દીધેલ છે જેથી મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને વાંકાનેર સિટી પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં મૃતક યુવાની ઓળખ મેળવવા માટે તજવીજ ચાલી રહી છે અને આગળની વધુ તપાસ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના વનરાજસિંહ અભેસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.

બાઇક સ્લીપ

મોરબી નજીકના રાજપર કુંતાસી ગામે રહેતો અરવિંદભાઈ દેત્રોજા (૩૫) નામનો યુવાન પોતાનું બાઈક લઈને ઘરેથી ખેતર તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં રેતીના ઢગલાના કારણે બાઇક સ્લીપ થઈ જતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં અરવિંદભાઈ દેત્રોજાને ઇજા થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News