મોરબી નજીક કારખાનામાં પેપર રોલ માથે પડવાથી શ્રમિક યુવાનનું મોત: ત્રાજપર ખરીમાં જુગાર રમતા બે પકડાયા મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક ટ્રેન હેઠળ ઝંપલાવીને અજાણ્યા યુવાને જીવન ટુકાવ્યું 


SHARE









વાંકાનેર નજીક ટ્રેન હેઠળ ઝંપલાવીને અજાણ્યા યુવાને જીવન ટુકાવ્યું 

વાંકાનેરમાંથી પસાર થતી સોમનાથ અમદાવાદ સીટી એક્સપ્રેસ ટ્રેન હેઠળ ઝંપલાવીને અજાણ્યા યુવાને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ ચાલી રહી છે. 

બનાવી જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર રેલવે આઉટ પોસ્ટ ઉપર ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સટેબલ ખોડાભાઈ ગંગારામભાઈ દ્વારા વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવી હતી કે વાંકાનેરમાંથી પસાર થતી સોમનાથ અમદાવાદ સીટી એક્સપ્રેસ ટ્રેન હેઠળ ઝંપલાવીને અજાણ્યા ૪૫ વર્ષના યુવાને આપઘાત કરી દીધેલ છે જેથી મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને વાંકાનેર સિટી પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં મૃતક યુવાની ઓળખ મેળવવા માટે તજવીજ ચાલી રહી છે અને આગળની વધુ તપાસ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના વનરાજસિંહ અભેસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.

બાઇક સ્લીપ

મોરબી નજીકના રાજપર કુંતાસી ગામે રહેતો અરવિંદભાઈ દેત્રોજા (૩૫) નામનો યુવાન પોતાનું બાઈક લઈને ઘરેથી ખેતર તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં રેતીના ઢગલાના કારણે બાઇક સ્લીપ થઈ જતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં અરવિંદભાઈ દેત્રોજાને ઇજા થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News