વાંકાનેરમાં માવતરે રહેતી પરણીતાને કરિયાવર બાબતે પતિ સહિતના સાસરિયાં તરફથી ત્રાસ: ગુનો નોંધાયો
SHARE
વાંકાનેરમાં માવતરે રહેતી પરણીતાને કરિયાવર બાબતે પતિ સહિતના સાસરિયાં તરફથી ત્રાસ: ગુનો નોંધાયો
વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાં હાલમાં માવતરે રહેતી પરણીતાએ મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ સહિત કુલ પાંચ વ્યક્તિઓ સામે શારીરિક માનસિક ત્રાસ દેતા હોવાની ફરિયાદ કરી છે તેમજ કરિયાવર ઓછો લાવી છો તેવું કહીને મેણાં ટોણાં મારી મારકુટ કરતા હોવાનું મહિલાએ તેની ફરિયાદમાં જણાવ્યુ છે જેથી પોલીસે હાલમાં ગુનો નોંધીને પતિ સહિતનાઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર લાતી પ્લોટ વિસ્તાર બહાર લાલ બહાદુર સોસાયટીના રહેવાસી અને હાલમાં વાંકાનેર શહેરના મિલ પ્લોટ શેરી નં-૨ માં માવતરના ઘરે રહેતા પારૂલબેન સંજયભાઈ સોલંકી (ઉમર ૩૯) એ હાલમાં તેમના પતિ સંજયભાઈ ભીખાભાઈ સોલંકી, સસરા ભીખાભાઈ ગોવિંદભાઈ સોલંકી, સાસુ શાંતુબેન ભીખાભાઈ સોલંકી, દિયર અનિલભાઈ ભીખાભાઈ સોલંકી અને નણંદ લતાબેન ભીખાભાઈ સોલંકી રહે.બધા જોરાવરનગર લાતી પ્લોટ વિસ્તાર બહાર લાલ બહાદુર સોસાયટી સુરેન્દ્રનગર વાળાની સામે મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યૂ છે કે, તેને નાની નાની બાબતોમાં શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને કરિયાવર ઓછો લાવી છો તેવું કહી મેણાં ટોણાં મારીને મારકૂટ પણ કરવામાં આવતી હતી તથા તેના પતિને ખોટી ચડામણી કરવામાં આવતી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં મહિલાના પતિ સહિત કુલ મળીને પાંચ વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
સગીર સારવારમાં