મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

માળીયા (મી) મોટ દહીસરા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનનું મોત 


SHARE













માળીયા (મી) મોટ દહીસરા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનનું મોત 

મોરબી જિલ્લાના નવલખી હાઇવે ઉપર મોટા દહીંસરા ગામ પાસેના રેલ્વે ફાટક નજીકથી ટ્રક ચાલકે પગપાળા ચાલીને પસાર થઈ રહેલા યુવાનને હડફેટે લીધો હતો જેથી તે યુવાનને ગંભીર ઈજા થઈ હોવાથી તેને પ્રાથમિક સારવાર મોરબીમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જોકે, રાજકોટ ખાતે સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી મૃતક યુવાનના ભાઈ દ્વારા હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના વવાણિયા ગામે રહેતા જાવેદભાઈ ઇસ્માઈલભાઈ ભટ્ટી જાતે વાઘેર (૨૮)એ હાલમાં ટ્રક નંબર જીજે ૫ બીડબલ્યુ ૨૪૯૩ ના ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે નવલખી હાઇવે રોડ ઉપર આવેલ મોટા દહીસરા પાસેના રેલવે ફાટક નજીકથી તેનો ભાઈ જાફર ઈસ્માઈલભાઈ ભટ્ટી (૩૫) પગપાળા ચાલીને રેલ્વે ટ્રેક પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને ટ્રક ચાલકે હડફેટે લેતા જાફરભાઈને સાથળ, ગુપ્તાંગ અને પગના ભાગે ઇજાઓ થઈ હતી જેથી કરીને ઈજા પામેલ હાલતમાં તેને સારવાર માટે તાત્કાલિક પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને અકસ્માત મૃત્યુના બનાવમાં મૃતક યુવાનના ભાઈ દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. મૃતક જાફરભાઈ ઇસ્માઈલભાઈ ભટ્ટી છૂટક મજૂરી કામ કરતા હતા અને તે મજૂરી કામ કરી પરત ઘર તરફ જવા નીકળ્યા હતા ત્યારે રસ્તામાં ઉપરોકત ગોજારો બનાવ બન્યો હતો જેના પગલે તેમના બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.






Latest News