ટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિ મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી મોરબીના મણી મંદિર પાસે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છભરમાં સેવા કાર્યોનું આયોજન મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છની વરણી મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

રાજ્ય કક્ષાના મંત્રી બ્રિજેશભાઈ અને કીર્તિસિંહની મુલાકાત કરતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તાઓ


SHARE













રાજ્ય કક્ષાના મંત્રી બ્રિજેશભાઈ અને કીર્તિસિંહની મુલાકાત કરતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તાઓ

 રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તાઓનવ નિયુક્ત પંચાયત, શ્રમ,રોજગાર અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશભાઈ મેરજા અને રાજયકક્ષાના શિક્ષણમંત્રીની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને બ્રિજેશભાઈ મેરજા અને કીર્તિસિંહ વાઘેલાને છત્રપતિ શિવાજી મહારાજાની છબી, નામ લખેલી પેન, પુષ્પગુચ્છ,સાલ તત્વચિંતક બુક તેમજ મોમેન્ટો અર્પણ કરી મોરબી જિલ્લાના સમગ્ર શિક્ષકો વતી અભિનંદન પાઠવ્યા હતા ત્યારે પરિવારના એક સભ્ય તરીકે હળીમળીને વાતો કરી હતી અને શિક્ષકોના પ્રશ્નો જેવા કે જી.પી.એફ. એકાઉન્ટ ખોલવા, નવી ભરતી કરવી, બદલી પામેલ શિક્ષકોને વહેલી તકે  છુટા કરવા, ઉચ્ચત્તર પગાર ધોરણ મંજૂરી માટે તાલુકાના મહેકમ પ્રમાણે, બાકી રહેલ કેસોના પ્રમાણમાં સેવાપોથીઓ સ્વીકારવી, તાલુકા- જિલ્લા પંચાયતમાં કારકુનની ભરતી કરવી વગેરે પ્રશ્નોની રજુઆત એકાગ્ર ચિત્તે સાંભળી હતી અને પોતાના વિભાગમાં આવતી કામગીરી માટે સચિવને સૂચના આપી ઝડપથી વિષય પૂર્ણ કરવા જણાવેલ છે આ મુલાકાતમાં દિનેશભાઈ વડસોલા, કિરણભાઈ કાચરોલા, હિતેશભાઈ ગોપાણી, પ્રદીપભાઈ કુવાડિયા, હરદેવભાઈ કાનગડ, હિતેશભાઈ પાંચોટીયા, સુનિલભાઈ કૈલા, રાજેશભાઈ રાઠોડ, અશોકભાઈ સતાસિયા, નવઘણભાઈ દેગામા, પોપટભાઈ ઉતેળીયા, અંબરીશભાઈ વ્યાસ, હિતેશભાઈ જાદવ, ભાવેશભાઈ સંઘાણી, મહાદેવભાઈ રંગપડીયા જોડાયા હતા.








Latest News