દેશને અંગદાન, દેહદાન અને પર્યાવરણનું જતન આ ત્રણ મેસેજ આપવા માટે દિલ્હીના ડીસીપી વિપુલ અનેકાંત દ્વારા સાયકલ યાત્રા દીકરીના જન્મ દિવસની અનોખી ઉજવણી: મોરબીમાં 11,111 બાજરાના રોટલા ગાયોને ખવડાવવા માટે 70 ચૂલા ચાલુ કર્યા મોરબીમાં શિવરાત્રિ નિમિતે સમસ્ત સતવારા સમાજ-જય મહાકાલ ગ્રુપ દ્વારા દર ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે જીએસટી અધિકારીઓ દ્વારા સેમિનાર યોજાયો માળીયા (મી) પાલિકાના ભાજપના માજી સભ્ય કમળને રામ રામ કરીને કોંગ્રેસ પક્ષમાં જોડાયા મોરબીના લીલાપર નજીક યુવાન ઉપર અજાણ્યા ત્રણ શખ્સ દ્વારા છરી વડે હુમલો: પેટ, છાતી, વાંસા અને નાક પાસે છરીના ઘા ઝીકયા મોરબીમાં સિરામિક કારખાનેદાર સહિત 5 સામે અકસ્માતના બનાવમાં બેદરકારી-રાજ્ય સેવકને ખોટી માહિતી આપવાનો ગુનો નોંધાયો માળીયા (મી)ના વાધરવા ગામ પાસે બંધ ટ્રકની પાછળ ટ્રક અથડાતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં બે પરણીતાને સાસરિયાનો ત્રાસ: જુદાજુદા બે ગુના નોંધાયા


SHARE













મોરબી જીલ્લામાં બે પરણીતાને સાસરિયાનો ત્રાસ: જુદાજુદા બે ગુના નોંધાયા

મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે જુદાજુદા બે વિસ્તારમાં રહેતી મહિલાઓએ તેના પતિ સહિતના સાસરીયાઓની સામે શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાની અને મારકૂટ કરતાં હોવાની ફરિયાદ નોંધાવેલ છે જે બાબતે પોલીસે જુદા જુદા બે ગુના નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી અને હાલમાં મોરબીના મહેન્દ્રપરા શેરી નં- ૨૧ રમાં માવતરના ઘરે રહેતા પરવીનબેન અકરમભાઈ સુતાર (૩૦) નામની પરણીતાએ મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ અકરમભાઈ આરીફભાઈ સુતાર, સાસુ નસીમબેન આરીફભાઈ સુતાર, નણંદ મુસ્કાનબેન આરીફભાઈ સુતાર અને સોફિયાબેન રમજાનભાઈ પરમારની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેને ઘરકામ બાબતે અને નાની નાની વાતમાં મેણાટોણા મારવામાં આવતા હતા અને મારકૂટ કરીને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેથી કરીને પરણીતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પતિ સહિતનાઓની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે આવી જ રીતે મૂળ વાંકાનેર તાલુકાના ચંદ્રપુરના રહેવાસી અને હાલમાં વાંકાનેરના લાલપર ગામે માવતરના ઘરે રહેતા ગુલનાઝબેન વસીમભાઈ ખોરજીયા જાતે મોમીન (૨૪)એ તેના પતિ વસીમભાઈ યુસુફભાઈ ખોરજીયા અને સસરા યુસુફભાઈ અમીનભાઈ ખોરજીયા રહે બંને ચંદ્રપુર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, અવારનવાર નાની-નાની બાબતોમાં તથા કરિયાવર ઓછો લાવી છો તેમ કહીને મેણા ટોણા મારીને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા અને ફરિયાદીના પતિને ખોટી ચડામણી કરવામાં આવી હતી જેથી કરીને હાલમાં પરિણીતએ નોંધાવેલ ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ બંને બનાવની આગળની વધુ તપાસ મોરબી મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એચ. લગધિરકા ચલાવી રહ્યા છે






Latest News