મોરબીમાં શિવરાત્રિ નિમિતે સમસ્ત સતવારા સમાજ-જય મહાકાલ ગ્રુપ દ્વારા દર ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે જીએસટી અધિકારીઓ દ્વારા સેમિનાર યોજાયો માળીયા (મી) પાલિકાના ભાજપના માજી સભ્ય કમળને રામ રામ કરીને કોંગ્રેસ પક્ષમાં જોડાયા મોરબીના લીલાપર નજીક યુવાન ઉપર અજાણ્યા ત્રણ શખ્સ દ્વારા છરી વડે હુમલો: પેટ, છાતી, વાંસા અને નાક પાસે છરીના ઘા ઝીકયા મોરબીમાં સિરામિક કારખાનેદાર સહિત 5 સામે અકસ્માતના બનાવમાં બેદરકારી-રાજ્ય સેવકને ખોટી માહિતી આપવાનો ગુનો નોંધાયો માળીયા (મી)ના વાધરવા ગામ પાસે બંધ ટ્રકની પાછળ ટ્રક અથડાતાં યુવાનનું મોત માળીયા (મી)ના અંજીયાસર પાસેનો બનાવ: પાવર ગ્રીડ કંપનીના 13.50 લાખના વાયરની ચોરી, 5 લાખનું કર્યું નુકશાન વાંકાનેરના કેરાળા ગામના બોર્ડ પાસે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનને માથા, મણકા અને નાક ઉપર ગંભીર ઇજા
Breaking news
Morbi Today

હળવદમાં કુદરતી હાજતે ગયેલ યુવાનનું તળવામાં ડૂબી જવાથી મોત


SHARE













હળવદમાં કુદરતી હાજતે ગયેલ યુવાનનું તળવામાં ડૂબી જવાથી મોત

હળવદના રાણેકપર રોડ ઉપર આવેલ પંચામૃત બંગ્લોઝની બાજુમાં તળાવ પાસે આદિવાસી યુવાન કુદરતી હાજતે ગયો હતો ત્યારે કોઈ કારણોસર અકસ્માતે તે તળાવમાં પડી જતાં પાણીમાં ડૂબી જવાના લીધે તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને તેનો ભાઈ હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને આ બનાવની તેના દ્વારા હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદના રાણેકપર રોડ ઉપર આનંદ બંગલોઝ પાછળ પંચામૃત બંગ્લોઝ પાસે રહેતા કિશનભાઇ ધીસાભાઈ સાપલીયા જાતે આદિવાસી (૨૬) પંચામૃત બંગ્લોઝની પાછળના ભાગમાં આવેલ તળાવ પાસે કુદરતી હાજતે ગયા હતા દરમિયાન અકસ્માતે તે તળાવના પાણીમાં પડી જતા પાણીમાં ડૂબી જવાના કારણે કિશનભાઇ સાપલિયાનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ પાણીમાંથી તેના બોડીને બહાર કાઢીને તેના ભાઈ બાબુભાઈ ભીખાભાઈ સાપલિયા જાતે આદિવાસી (૨૯) રહે હાલ રાણીપર રોડ હળવદ મૂળ રહે એમપી વાળા હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના ભાઈ દ્વારા હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

યુવતી સારવારમાં
મોરબી શહેરના વિસ્તારમાં આવેલ રોહીદાસ પરામાં રહેતા ગીતાબેન વિશાલભાઈ કાટીયા જાતે બ્રાહ્મણ (૧૯) નામની યુવતી ઘરે હતી ત્યારે તેને પગના ભાગે કોઈ કારણોસર જનાવર કરડી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

માર માર્યો
મોરબી તાલુકાના નવા સાદૂળકા ગામે રહેતા ગીતાબેન પ્રજ્ઞેશભાઈ પરમાર (૪૦) નામની મહિલાને તે પોતાના ઘરે હતી ત્યારે તેના પતિ દ્વારા મારવામાં આવ્યો હતો જેથી કરીને મહિલાને ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તે મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે






Latest News