મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ કરી રહેલા નેહુલ અમૃતિયાની તબિયત લથડી, સોમવારે તમામ ઉપવાસીઓના પારણા કરાવવાનું એલાન, આંદોલન પાર્ટ 3 માટે થશે મોટી જાહેરત મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી મોરબીમાં સોમવારથી ઓપન ગુજરાત અંડર-૧૪ જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, ૧૨ જિલ્લાની ટીમો વચ્ચે જામશે ટક્કર માળીયા (મી)માં પોલીસનું મેગા કોમ્બિંગ: 70 ધારદાર હથિયાર, 1 કટ્ટો, 3 એરગન અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ કબજે: 1 પેરોલ જમ્પ અને 2 વોન્ટેડ આરોપી ઝડપાયા સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા
Breaking news
Morbi Today

મોરબી એલઆઇસી બ્રાન્ચે વિમેદારના મૃત્યુની અડધી કલાકમાં કલેઇમ મંજૂર કર્યો


SHARE









મોરબી એલઆઇસી બ્રાન્ચે વિમેદારના મૃત્યુની અડધી કલાકમાં કલેઇમ મંજૂર કર્યો

એલઆઇસી મોરબી બ્રાંચ દ્વારા ફક્ત ત્રિસ મીનીટમા મૃત્યુ દાવાનો કલેઇમ પાસ કરી કિર્તીમાન સ્થાપીત કરેલ છે. મળતી માહીતી પ્રમાણે ગત ૨૩ મી ઓગષ્ટના રોજ બ્રાંચ મેનેજર પ્રવિણ વાયસે અને કલેઇમ વિભાગ દ્વારા માત્ર ત્રિસ મીનીટમા મૃત્યુ દાવો સેટલ કરી નવો કિર્તીમાન સ્થાપીત કરેલ છે.

મોરબી એલઆઇસી બ્રાંચના બ્રાંચ મેનેજર પ્રવિણ એલ.વાયસેએ યાદીમાં જણાવે છે કે સ્વ.ભરત મોહનભાઈ કાસુંદ્રાના મૃત્યુ દાવાની પ્રક્રિયા માત્ર ત્રીસ મીનીટમા પતાવીને ખુબજ ઝડપથી મૃત્યુ દાવો પાસ કરેલ છે.તેમના વારસદાર નિલેશભાઇ મોહનભાઈ કાસુંદરાએ એલઆઇસી દ્વારા કરેલ ત્વરીત દાવા પ્રક્રિયાથી પ્રભાવિત થઈ લાગણી સભર આભાર વ્યક્ત કરેલ છે.આ અવસરે સમાજમા પણ એલઆઇસી દ્વારા ખુબજ સરાહનીય કાર્ય થયેલ છે તેને વધાવેલ છે. એલઆઇસીએ પોતાના સુત્ર પ્રમાણે સમાજમા સંપાદીત કરેલ વિશ્વાસને સાર્થક કરેલ છે.

બ્રાંચ મેનેજર દ્વારા ખાસ જણાવેલ છે. કે સમાજના દરેક નાગરિકે ઓછામા ઓછી એલઆઇસીની એક પોલીસી તો લેવી જ જોઈએ.કારણ કે જીવન એ હર હંમેશ અનિશ્ચિત છે. ત્યારે આપણા કુટુંબને આર્થીક રક્ષણ પુરુ પાડે છે. વિમા દ્વારા કુટુંબને આર્થીક રક્ષણ મળે છે.આ દાવા પ્રક્રિયા પુરી કરવા માટે બ્રાંચ મેનેજર પ્રવિણ વાયસે, એજન્ટ પરેશ પટેલ હરિપર (ભુ.), વિકાસ અધિકારી મેહુલભાઇ સોલંકી, કલેઇમ વિભાગના સર્વે અધિકારીઓએ ખુબ જહેમત ઉઠાવેલ હતી.






Latest News