ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના ભડીયાદ ગામેથી ચોરાઉ પેબલ (પથ્થર) સાથે ત્રણ શખ્સ ઝડપાયા


SHARE











મોરબીના ભડીયાદ ગામેથી ચોરાઉ પેબલ (પથ્થર) સાથે ત્રણ શખ્સ ઝડપાયા

મોરબી તાલુકાના ભડીયાદ ગામ પાસેથી ત્રણ ઇસમોની ટોળકીને ચોરી કરી મેળવેલ ગ્લેજના બોઇલમીલમાં વપરાતા પેબલ (પથ્થર) ના ૨૧ બાચકા સાથે પકડાઈ છે જેથી પોલીસે તેની પાસેથી હાલમાં ચોરી કરેલ માલ અને બાઇક મળીને ૮૦ હજારનો મુદામાલ કબજે કરેલ છે

મોરબી તાલુકા પીઆઇ એમ.આર.ગોઢાણીયાના માર્ગદર્શન હેઠળ અજીતસિંહ પરમાર તથા દિવ્યરાજસિંહ જાડેજાને મળેલ ખાનગી બાતમી આધારે ભડિયાદ પાસેથી સી.ડી. ડીલક્ષ બાઇક નં. જીજે ૩ આરએસ ૧૭૫૮ લઈને નીકળતા તેની પાસે પેબલ (પથ્થર) ના ચોરી કરેલા ચાર બાચકા મળી આવ્યા હતા જેથી તેની સઘન પુછપરછ કરતા તેઓએ રફાળેશ્વર ક્રાઉન સિરામીકમાંથી પેબલની ચોરી કરી હોવાનું જણાવ્યુ હતું અને અગાઉ ૨૭ બાચકા ચોરી કરીને ભડીયાદ ગામે ભાવેશભાઇ ચતુરભાઇ ઝાપડીયા વાળા ભાડેથી રાખેલ મકાનમાં રહે છે ત્યાં રાખ્યા હતા જેથી કરીને પોલીસે ગ્લેજના બોઇલમીલમાં વપરાતા પેબલ ( પથ્થર ) ના કુલ મળીને ૩૧ બાચકા જેની કિંમત ૬૦૦૦૦ અને ૨૦૦૦૦ નું બાઇક મળીને ૮૦૦૦૦ ના મુદામાલ સાથે ચેતનભાઇ અગરસંગભાઇ કોઠારીયા જાતે કોળી (ઉ.૨૦) રહે. ક્રાઉન સિરામીકરફાળેશ્વર રોડ મુળ રહે. જુની મોરવાડ, મહેશભાઇ વિનુભાઇ તાવીયા જાતે કોળી (ઉ.૨૩) રહે. ભડીયાદબહુરચર માતાજીના મંદિર પાછળ, મોરબી મુળ રહે. રામપરા અને ભાવેશભાઇ ચતુરભાઇ ઝાપડીયા જાતે કોળી (ઉ.૨૩) રહે. ભડીયાદબહુચર માતાજીના મંદિર પાછળમોરબી મુળ જનડા કટેવારીયાવિંછીયા વાળાને પકડીને પોલીસે સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કાર્યવાહી કરેલ છે આ કામગીરી પીઆઇની સૂચના મુજબ પીએસઆઈ વી.જી. જેઠવા, સુરેશભાઇ હુંબલ, નગીનદાસ નિમાવત, અજીતસિંહ પરમાર, હરેશભાઇ આગલ, યોગીરાજસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, જયદીપભાઇ પટેલ, પંકજભા ગઢડા તથા રવિરાજસિંહ ઝાલાએ કરી હતી






Latest News