મોરબીના રફાળેશ્વર પાસે માલવાહક વાહનના ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ગુનો નોંધાયો
SHARE
મોરબીના રફાળેશ્વર પાસે માલવાહક વાહનના ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ગુનો નોંધાયો
મોરબી નજીકના રફાળેશ્વર ગામથી પાનેલી ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલા મચ્છોનગર ગામ પાસે બાઈકને માલવાહક વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં યુવાનને ગંભીર ઇજા થયેલ હતી અને અકસ્માત સર્જીને વાહન ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને નાશી ગયો હતો જેથી કરીને યુવાને સારવાર લીધા બાદ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના શિયાણી ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે આવેલ મચ્છોનગરમાં પ્રાથમિક શાળાની પાછળના ભાગમાં રહેતા પરસોતમભાઈ દેવજીભાઈ મકવાણા જાતે અનુ. જાતિ (૩૩) એ હલમ વાહન નંબર જીજે ૩૬ ટી ૩૬૬૮ ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મચ્છોનગર ગામમાં જવાની ગોળાઈ પાસેથી પાટીદાર કટીંગના ડેલા સામેથી તે પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે આરોપીએ તેના વાહને બેફિકરાઈથી ચલાવીને ફરિયાદીના બાઈકને હડફેટે લીધું હતુ અને તે યુવાનને રસ્તા ઉપર નીચે પછાડી દીધો હતો જેથી કરીને તેને ડાબા પગના ઢીંચણના ભાગે તથા ડાબા હાથના પંજામાં ઇજાઓ થઈ હતી અને અકસ્માત સર્જીને વાહન ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયો હતો જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં લઈને આવ્યા હતા અને સારવાર લીધા પછી અકસ્માત સર્જનાર માલવાહક વાહનના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેને ફરિયાદ નોંધાવેલ છે જેથી પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ એમ.જે. કહાંગરા ચલાવી રહ્યા છે