માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

મોરબીમાં છેતરપીંડી-વિશ્વાસઘાતના ગુન્હામાં પોલીસ પુત્રનો નિર્દોષ છુટકારો


SHARE













મોરબીમાં છેતરપીંડી-વિશ્વાસઘાતના ગુન્હામાં પોલીસ પુત્રનો નિર્દોષ છુટકારો

મોરબીની કોર્ટમાં છેતરપીંડી અને વિશ્વાસઘાતનો કેસ ચાલી ગયો હતો જેમાં આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપી પોલીસ પુત્રને નિર્દોષ છોડી મૂકવા હુકમ કરેલ છે તેમજ તેની પાસેથી કબજે કરવામાં આવેલ રોકડા રૂપિયા એક લાખ પણ પાછા આપવા આદેશ કરેલ છે

મોરબીનાં પ્રખ્યાત સીમેન્ટના વેપારીને ફોનથી નવી સાઈટમાં સીમેન્ટનો માલ મંગાવવા ફોન ઉપર મનીષભાઈ હોવાનુ કહીને કહયું હતું કે, આઈકોન વાળા દીપકભાઈએ તમારો નંબર આપેલ છે. જેને આધારે એક ગાડી સીમેન્ટ મોકલી આપવાની છે જેથી સીમેન્ટના વેપારીએ બે ગાડી સીમેન્ટ સાંધી સીમેન્ટ પાસે મંગાવેલ હતી અને ૬૦૦ સીમેન્ટની થેલી તે જ દીવસે મોકલેલ હતી અને ૬૬૦ સીમેન્ટની થેલી બીજા દીવસે મોકલાવેલ હતી જેની કુલ રકમ ૩,૯૦,૬૦૦ નો માલ આપ્યો હતો જે રકમ નહી મળતા જે સાઈટ ઉપર માલ મોકલેલ ત્યાં જઈ જોતા કોઈ સાઈટનું કામ જ ચાલતુ ન હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોતાની સાથે ખોટી ઓળખ આપી છેતરપીંડી અને વિશ્વાસઘાત થયાનું માલુમ પડયુ હતી જેથી મોરબી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે મોરબીના ગૌરવ હીરાભાઈ કાનગડની ધડપકડ કરી સીમેન્ટ અને રોકડ રકમ ૧,૦૦,૦૦૦ કબજે કરેલ હતા જેનું ચાર્જશીટ થતા આ કેસ મોરબી કોર્ટનાં એડી.ચીફ જડી.મેજી. જે.વી.બુધ્ધ સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપીના એડવોકેટ રાજેશ બી.ચાવડાની દલીલોને ઘ્યાને લઈ આ કામના આરોપી ગૌરવ હીરાભાઈ કાનગડને નીર્દોષ છોડવાનો હુકમ કરવામાં આવેલ છે તેમજ આરોપી પાસેથી પોલીસે તપાસના કામે કબજે કરેલ રોકડ એક લાખ આરોપીને પરત કરવાનો પણ કોર્ટ હુકમ ફરમાવેલ છે. આ કેસમાં આરોપીના વકીલ તરીકે રાજકોટના એડ્વોકેટ રાજેશ બી. ચાવડા તથા મોરબીના એડ્વોકેટ વિવેક કે. વરસડા રોકાયેલ હતા






Latest News