માળીયા (મી)ના બગસરા ગામે અગરીયા-સ્થાનીકોને દસ એકર જમીન આપવાની માંગ
માળીયા (મી)ના મોટા દહીસરામાં અગાઉ કરેલ ફરિયાદનો ખાર રાખીને મારામારી: બંને પક્ષેથી ત્રણ આરોપીની ધરપકડ
SHARE
માળીયા (મી)ના મોટા દહીસરામાં અગાઉ કરેલ ફરિયાદનો ખાર રાખીને મારામારી: બંને પક્ષેથી ત્રણ આરોપીની ધરપકડ
માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામે અગાઉ કરેલ ફરિયાદનો ખાર રાખીને મારામારીનો બનાવ બન્યો હતો જેમાં સામસામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જુદા જુદા બે ગુના નોંધીને બંને ગુનામાં કુલ મળીને ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મિયાણા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા કૃપાલસિંહ વીસુભા જાડેજા જાતે દરબાર (૩૭)એ હાલમાં અજયસિંહ ભાવુભા જાડેજા અને કર્મરાજસિંહ મંગળસિંહ ઝાલા રહે. બંને મોટા દહીસરા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે, તેણે અગાઉ કરેલ ફરિયાદનો ખાર રાખીને આરોપીઓએ તેને ગાળો આપી હતી અને અજયસિંહ જાડેજાએ ફરિયાદીને લોખંડના પાઇપ વડે જમણા હાથના અંગૂઠામાં અને નાકના ભાગે માર મારીને ઈજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ક્રિપાલસિંહ જાડેજાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજયસિંહ ભાવુભા જાડેજા અને કર્મરાજસિંહ મંગળસિંહ ઝાલા ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જોકે સામા પક્ષેથી મારામારીના આ બનાવમાં મોટા દહીસરા ગામે રહેતા કર્મરાજસિંહ મંગળસિંહ ઝાલા જાતે દરબાર (૨૭)એ ક્રિપાલસિંહ વીસુભા જાડેજા રહે. મોટા દહીસરા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે, આરોપી પાસેથી અગાઉ તેણે ઉછીના રૂપિયા લીધેલા હતા જે રૂપિયા બાબતે આરોપીએ બોલાચાલી કરી હતી અને ફરિયાદીને ગાળો આપી હતી અને ફરિયાદી સાથે જપાજપી કરી છરી વડે તેને હાથમાં ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપી ક્રિપાલસિંહ વીસુભા જાડેજા રહે. મોટા દહીસરા વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે