મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીની વી.સી. હાઇસ્કુલ ખાતે શિક્ષક દિને ૮ શિક્ષકો-૧૦ બાળકોને સન્માનિત કરાયા


SHARE















મોરબીની વી.સી. હાઇસ્કુલ ખાતે શિક્ષક દિને ૮ શિક્ષકો-૧૦ બાળકોને સન્માનિત કરાયા

મોરબીમાં શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરી શિક્ષક દિન સમારંભની  ઉજવણી શિક્ષણ વિભાગ ગાંધીનગરજિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીમોરબી દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષસ્થાને  કરવામાં આવી હતી.

જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ  આ પ્રસંગે જણાવ્યું હતું કે શિક્ષક અને બાળકો વચ્ચેના સંબંધો સુમધુર હોય છે શિક્ષક ઈચ્છે તો બાળકમાં સારામાં સારા ગુણોનું નિરૂપણ કરી  વિવિધ પ્રકારના કૌશલ્યો વિકસાવી શકે છે. બાળકોની વિકાસ પ્રતિભાને ખીલવી શકે છે. બાળકોમાં ઉત્સાહનો સંચાર કરી શકે છે. હાલમાં વૈજ્ઞાનિકો દ્વારા મોકલવામાં આવેલ ચંદ્રયાનના વૈજ્ઞાનિકોના ધડતરમાં પણ શિક્ષકોનો ફાળો મહત્વનો છે. તો કલેકટર જી. ટી. પંડયાએ આ પ્રસંગે  ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ  ૧૨ માં સાયન્સ વિભાગમાં મોરબી જિલ્લાએ પ્રથમ ક્રમાંક મેળવતા મોરબી જિલ્લાના સર્વે શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવન-કવનને યાદ કરી તેમના શ્રેષ્ઠ વ્યક્તિત્વને બિરદાવ્યું હતું. શિક્ષકો દ્વારા જ દેશના ભવિષ્યનો પાયો મજબૂત બની શકે છે.

શિક્ષકદિન સમારંભ કાર્યક્રમમાં મોરબી તાલુકાના સંજયકુમાર બાપોદરીયા અને અશોકભાઈ કાંજિયામાળીયા મીયાણા તાલુકાના મહેશભાઈ ગાગિયા અને યોગેશભાઈ ગામીટંકારા તાલુકાના જીવતીબેન પીપળીયા,  હેતલબેન સોલંકીદિપાલીબેન આદેશરા તેમજ વાંકાનેર તાલુકાના વિશાલકુમાર ચૌહાણને  મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. વિવિધ સ્કોલરશીપ લક્ષી પરિક્ષાઓ માં સફળતા મેળવેલ ૧૦ વિદ્યાર્થીઓ સન્માન કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમનું સફળ સંચાલનશ્રી દિનેશભાઇ વડસોલાએ કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાકલેકટર જી.ટી. પંડ્યાજિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રાજિલ્લા શિક્ષણ અધિકારી નિલેશ રાણીપા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રવીણ અંબારિયા તાલુકા પ્રાથમિકશિક્ષણ અધિકારીઓ, આચાર્યઓશિક્ષકઓવાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News