મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના ધોળેશ્વર મહાદેવ મંદિર નજીકથી તાજુ જન્મેલ મૃત બાળક મળી આવ્યું, અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધવા તજવીજ શરૂ


SHARE













મોરબીના ધોળેશ્વર મહાદેવ મંદિર નજીકથી તાજુ જન્મેલ મૃત બાળક મળી આવ્યું, અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધવા તજવીજ શરૂ

મોરબીના વીસીપરામાં આવેલા ધોળેશ્વર મહાદેવ મંદિર કેશવાનંદ બાપુના આશ્રમ પાછળ બાળકોનું સ્મશાન આવેલ છે ત્યાં આશરે બે દિવસ પૂર્વે જન્મેલ મૃત બાળક મળી આવ્યું હતું જેનો કમર સુધીનો હિસ્સો જાનવરોએ ફાડી ખાધેલ હોય બાળક સ્ત્રી છે કે પુરુષ તે હાલ સામે આવ્યુ નથી.રાજકોટ ખાતે ફોરેન્સીક પીએમ કરાવવામાં આવ્યું હોય અને હાલ મૃતક બાળકને અહીં ફેંકી જનાર શખ્સની સામે ગુનો નોંધવા માટે બી ડિવિઝન પોલીસ દ્વારા આગળની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીની મધુવન સોસાયટીમાં રહેતા ગિરિરાજગીરી જેઠીગીરી ગોસાઈ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી કે, મોરબીના વીસીપરામાં આવેલા કેશવાનંદ આશ્રમ પાછળના ધોળેશ્વર મહાદેવ મંદિર પાછળ બાળકોનું સ્મશાન આવેલ છે.ત્યાં મચ્છુ નદીના પટમાં નવજાત બાળકનો મૃતદેહ પડ્યો છે અને જેનો કમર સુધીનો ભાગ જાનવરો દ્વારા ફાડી ખાવામાં આવેલો છે.જેથી બનાવની જાણ થતા તે બીટ વિસ્તારના જમાદાર વશરામભાઈ મેતા તથા મહિલા પીએસઆઇ વી.એલ.વાઘેલા સ્થળ ઉપર પહોંચ્યા હતા અને મૃત બાળકનો કબ્જો લીધો હતો.આશરે બે દિવસ પૂર્વે જન્મેલ બાળક હોય અને કમર સુધીનો હિસ્સો જાનવરોએ ફાડી ખાધેલ હોય બાળક સ્ત્રી હતુ કે પુરૂષ તેનો હાલ ખુલાસો થયેલ નથી.રાજકોટ ખાતે ફોરેન્સિક પીએમ કરાવવામાં આવ્યું છે અને હાલ બાળકને અહીં ફેંકી જનાર ઈસમ સામે ગુનો નોંધવા માટે બી ડિવિઝન પોલીસ દ્વારા આગળની તજવીર શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

ઝેરી દવા પીધી
હળવદના ભરવાડ ફળી પાસે રહેતા કીડીયાભાઈ કાનજીભાઈ ભીલ (૩૦) નામના યુવાને પોતાના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને પ્રથમ સારવાર માટે હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા અને અહીંયા સારવાર આપ્યા બાદ આ યુવાનને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવેલ છે અને આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

ઊલટીઓ થતાં સારવારમાં
હળવદ તાલુકાના રાતાભેર ગામે વાડી વિસ્તારમાં રહેતા વિકેશભાઇ ભાવિયા પાટલીયા (૨૦) નામના યુવાનને ઉલટીઓ થવા લાગી હતી જેથી કરીને તેને મુન્નાભાઈ ભુપતભાઈ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની નોંધ કરીને બનાવ હળવદ તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં બનાવની જાણ કરવામાં આવી છે.






Latest News