ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના માધાપરમાં ઘરે પહેલા માળેથી નીચે પટકાયેલા આધેડનું સારવારમાં મોત


SHARE











મોરબીના માધાપરમાં ઘરે પહેલા માળેથી નીચે પટકાયેલા આધેડનું સારવારમાં મોત

મોરબી શહેરના માધાપર વિસ્તારમાં શેરી નં-૨૨ ની અંદર રહેતા આધેડે પોતાના ઘરે પહેલા માળેથી કોઈ કારણોસર નીચે પટકાયા હતા જેથી કરીને તેઓને શરીરે ગંભીર ઇજાઓ થવાના કારણે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ અને અમદાવાદ લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તેમનું મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળ કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના માધાપરા શેરી નં-૨૨ ની અંદર રહેતા વનરાજસિંહ નટુભા ઝાલા (૫૦) પોતાના ઘરે પહેલા માળેથી નીચે પટકાયા હતા જેથી તેઓને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ જલારામ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને ત્યાંથી સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા સારવાર દરમિયાન આધેડનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવના કાગળો અમદાવાદથી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને આવતા પોલીસે હાલમાં અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News