માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે પેપર મીલમાં દાદરા ઉપરથી નીચે પટકાયેલા યુવાનનું મોત


SHARE

















મોરબીના રફાળેશ્વર પાસે પેપર મીલમાં દાદરા ઉપરથી નીચે પટકાયેલા યુવાનનું મોત

મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે આવેલ પેપર મીલમાં નવી બનતી ઓડિ પાસે દાદરા પરથી નીચે પટકાયેલા યુવાનને સારવાર માટે મોરબીથી રાજકોટ અને ત્યાંથી અમદાવાદ લઈને ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા મજૂર યુવાનનું સારવારમાં મોત નીપજ્યું છે જેથી મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીક રફાળેશ્વર ગામ પાસે આવેલ સરજુ પેપર મીલમાં ઓરડીમાં દસ પંદર ફૂટના દાદરા ઉપરથી નીચે પટકાયેલા મૂળ યુપીના રહેવાસી અને હાલમાં સરજુ પેપર મિલની ઓરડીમાં રહેતા ભોયાલાલ રામભવન રોહિતદાસ (૪૧) ને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી માટે તેને પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ અને ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા ભોયાલાલ રોહિદાસનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને ચુનીલાલ હીરાલાલ રોહિતદાસ (૩૧) રહેહાલ સરજુ પેપર મીલ વાળાએ જાણ કરતાં પોલીસે અકસ્માત મૃત્યુના બનાવવાની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News