મોરબીમા આહીર સેના ગુજરાત દ્વારા કાર્યાલય ઉદ્ઘાટન તથા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
વાંકાનેર નજીક પેટ્રોલપંપ માલીકને ભડાકે દેવાની ધમકી આપનારાઓના રિમાન્ડ ના મંજૂર: ત્રણેય આરોપી જેલ હવાલે
SHARE
વાંકાનેર નજીક પેટ્રોલપંપ માલીકને ભડાકે દેવાની ધમકી આપનારાઓના રિમાન્ડ ના મંજૂર: ત્રણેય આરોપી જેલ હવાલે
વાંકાનેરના વઘાસીયા ટોલનાકાથી વાંકાનેર તરફ જવાના રસ્તે પેટ્રોલ પંપ આવેલ છે તેની બાજુમાં સરકારી ખરાબાની જમીનમાં હોટલ, વે-બ્રિજ અને રેતીના ઢગલા કરીને દબાણ કરવામાં આવ્યું છે જેથી પેટ્રોલ પંપ ધારકે અગાઉ મોરબી કલેકટરમાં ત્યાર બાદ મુખ્યમંત્રી કાર્યાલય સુધી આ બાબતે ફરિયાદ કરી છે જેનો ખાર રાખીને દબાણ કરનાર શખ્સ સહિત ત્રણ શખ્સોએ તેના પેટ્રોલ પંપ પાસે આવીને ફરિયાદીની કારમાં તોડફોડ કરી હતી અને બાદમાં ફરિયાદીને એક શખ્સે પકડી રાખતા દબાણ કરનારા શખ્સે તેને હાથે અને પગે લાકડી વડે માર માર્યો હતો અને ભડાકે દઈ દેવાની જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે ગુનામાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી અને આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીના રિમાન્ડ ના મંજૂર કરતાં તેને જેલ હવાલે કરવામાં આવેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટમાં મોટા મોવા મેઇન રોડ ઉપર આવેલ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે કોસ્મો પ્રાઇડ બ્લોક નંબર -૪૦૧ માં રહેતા અમિતભાઈ જયંતીલાલ માકડીયા જાતે પટેલ (૪૮)એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાંબુડીયા અશ્વમેઘ હોટલ વાળા મનદીપસિંહ ઝાલા તથા તેની સાથે આવેલા અજાણ્યા બે શખ્સો આમ કુલ મળીને ત્રણ શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, વઘાસીયા ટોલનાકાથી આગળ વાંકાનેર તરફ માલધારી હોટલની સામે તેનો પેટ્રોલ પંપ આવેલ છે અને ત્યાં સર્વિસ રોડથી આગળના ભાગમાં સરકારી ખરાબાની જમીન આવેલ છે ત્યાં મનદીપસિંહ ઝાલાએ હોટલ, વે-બ્રિજ અને રેતીના ઢગલા કરીને જમીન ઉપર દબાણ કર્યું છે જે બાબતે તેઓએ અગાઉ મોરબી જિલ્લા કલેકટરમાં અરજી ફરિયાદ કરી હતી અને ત્યારબાદ મુખ્યમંત્રી કાર્યાલય ગાંધીનગર ખાતે ફરિયાદ કરેલ છે જે બાબતનો ખાર રાખીને મનદીપસિંહ ઝાલા તથા તેની સાથે બે શખ્સો વેગનાર કારમાં ત્યાં આવ્યા હતા અને ત્યારે કુંડલી વાળી લાકડી વડે ફરિયાદીની ટોયટા ગ્લાન્ઝા કાર નંબર જીજે ૩૬ એલ ૫૩૪૩ માં આગળના કાચમાં લાકડી મારીને નુકસાન કર્યું હતું અને ત્યારબાદ મનદીપસિંહ ઝાલા સાથે આવેલા બે પૈકીનાં એક શખ્સે તેને પકડી રાખતા આરોપી મનદીપસિંહ ઝાલાએ ફરિયાદીને લાકડી વડે બંને હાથ અને પગમાં માર માર્યો હતો તેમજ ત્રણેય આરોપીઓએ ફરિયાદીને ભડાકે દઈ દેવાની જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ત્રણેય આરોપી મનદીપસિંહ ઝાલા, રવિરાજસિંહ રાણા અને સંજયભાઈની ધરપકડ કરી હતી અને ત્રણ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા ત્યારે આરોપીના વકીલ મયૂરસિંહ પરમાર દ્વારા કરવામાં આવેલ દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીઓના રિમાન્ડ ના મંજૂર કરેલ છે અને હાલમાં ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે