ટંકારાના લજાઈ ગામે ધંધો બરોબર ન ચાલતો હોય મંડપ સર્વિસના ધંધાર્થીએ ગોડાઉનમાં જ અંતિમ પગલું ભર્યું
વાંકાનેરના વઘાસીયા પાસે મિલમાં ગરમ પાણીની ટાંકીમાં પડતાં દાઝી ગયેલ યુવાનનું મોત
SHARE
વાંકાનેરના વઘાસીયા પાસે મિલમાં ગરમ પાણીની ટાંકીમાં પડતાં દાઝી ગયેલ યુવાનનું મોત
વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ગામની સીમમાં સુર્યા ઓઇલ એન્ડ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ મિલમાં હેલ્પર તરીકે કામ કરતો યુવાન કામગીરી કરી રહ્યો હતો ત્યારે અકસ્માતે પગ લપસતા તે ગરમ પાણીની ટાંકીમાં પડી જતા કેડથી નીચેના ભાગમાં ગંભીર રીતે દાજી ગયો હતો જેથી તેને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાર બાદ મોરબી, રાજકોટ અને અમદાવાદ સુધી લઈને ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નીપજ્યું હતું આ બનાવની મૃતકના ભાઈએ વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી માહિતિ મુજબ મૂળ એમપીના જાંબુવા જિલ્લાના રહેવાસી અને હાલમાં વાંકાનેર નજીક વઘાસિયા ગામની સીમમાં આવેલ સૂર્ય ઓઇલ એન્ડ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ મિલમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા દિલીપભાઈ મુન્નાભાઈ રાઠોડ જાતે આદિવાસી (૨૪) નામનો યુવાન ગત તા. ૧૦/૬/૨૦૨૩ ના રોજ કારખાનાના પ્લાન્ટમાં હેલ્પર તરીકે કામ કરતો હતો ત્યારે અકસ્માતે પગ લપસી જતા તે ગરમ પાણીની ટાંકીમાં પડી જતા તે કેડથી નીચેના ભાગમાં ગંભીર રીતે દાજી ગયો હતો જેથી કરીને પ્રથમ તેને વાંકાનેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર આપ્યા બાદ તેને રાજકોટની સાર્થક હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં સારું થઈ ગયું હતું જેથી દિલીપભાઈને ઘરે લઈને આવ્યા હતા જોકે ફરી પાછી તેની તબિયત ખરાબ થતા મોરબીની ખાનગી હોસ્પિટલમાં તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાંથી તેને વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરતા આ બનાવની મૃતક દિલીપભાઈના ભાઈ સોનુભાઈ મુન્નાભાઈ રાઠોડ જાતે આદિવાસી (૩૨) રહે. હાલ સૂર્ય ઓઇલ એન્ડ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ મીલ વાંકાનેર વાળાએ વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
અકસ્માતમાં ઇજા
મોરબીના સરદાર રોડ ઉપર આવેલ વિજય ટોકીઝ પાસેથી મોરબીની પારેખ શેરીમાં રહેતા નિલેશભાઈ ભરતભાઈ મહેતા (૫૧) નામના આધેડ પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ઈજા પામેલા નિલેશભાઈ મહેતાને સારવાર માટે મોરબીની સદભાવના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી
ઝેરી અસર
ટંકારા તાલુકાના જબલપુર ગામે ખેતરમાં દવા છાંટતા સમયે ઝેરી અસર થવાથી હીનેશ રૂમાલભાઈ શિંગોડ જાતે આદિવાસી (૨૦) નામના યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી જો કે, બનાવ ટંકારા તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવેલ છે