માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે મેળાને માજી સીએમ વિજયભાઈ રૂપાણીના હસ્તે ખુલ્લો મુકાશે


SHARE







મોરબીના રફાળેશ્વર ગામે મેળાને માજી સીએમ વિજયભાઈ રૂપાણીના હસ્તે ખુલ્લો મુકાશે

મોરબી નજીક રફાળેશ્વર ગામે મહાદેવ મંદિરે વર્ષોથી શ્રાવણી અમાસનો મેળો યોજાઇ છે ત્યારે આ વર્ષે જાબુડિયા ગ્રામ પંચાયત અને મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ મેળાને માજી સીએમ વિજયભાઈ રૂપાણીના હસ્તે ખુલ્લો મુકાશે

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ અને જાબુડિયા ગ્રામ પંચાયત દ્વારા શ્રાવણી અમાસ નિમિતે રફાળેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં તા. 14 અને 15 એમ બે દિવસ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે મેળાને  "શિવતરંગ" નામ આપવામાં આવ્યું છે. અને તે મેળાને માજી સીએમ વિજયભાઈ રૂપાણીના હસ્તે ખુલ્લો મુકાશે ત્યારે સાંસદ મોહન કુંડારિયા કુડારિયા અને વિનોદ ચાવડા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, પ્રકાશભાઈ વરમોરા, દુલર્ભજીભાઈ દેથરીયા અને જીતુભાઈ સોમણી, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા, ભાજપના અગ્રણી પ્રદીપભાઈ વાળા સહિતના હાજર રહેશે તેવું યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ જણાવ્યુ છે અત્રે ઉલેખનીય છે કે, રફાળેશ્વર મંદિરે પ્રાચીન પીપળે અમાસના દિવસે પિતૃતર્પણનું મહત્વ હોવાથી મોટી સંખ્યામાં લોકો ત્યાં આવે છે 






Latest News