મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન
Breaking news
Morbi Today

વાંકાનેરમાં માતાએ ઠપકો આપતા દીકરીએ અંતિમ પગલું ભર્યું


SHARE







વાંકાનેરમાં માતાએ ઠપકો આપતા દીકરીએ અંતિમ પગલું ભર્યું

વાંકાનેરના પંચાસર રોડે આવેલ નવાપરા વિસ્તારમાં રહેતી યુવતીને તેની માતાએ ઘર કામ બાબતે ઠપકો આપ્યો હતો જેથી કરીને તેને લાગી આવતા યુવતીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના પંચાસર રોડ ઉપર આવેલ નવાપરા રામકૃષ્ણનગરમાં હનુમાનજી મંદિર પાસે રહેતા રીતિશાબેન અજયભાઈ રીબડીયા (૧૮) નામની યુવતીએ પોતે પોતાના ઘરે હતી ત્યારે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકાર હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની તપાસ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના એએસઆઈ નારાયણભાઈ લાવડીયા ચલાવી રહ્યા છે તેની સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે યુવતીને તેની માતાએ ઘર કામ બાબતે ઠપકો આપ્યો હતો જેથી તેને લાગી આવતા અંતિમ પગલું ભરી લીધેલ છે તેવું તેના પરિવાર પાસેથી જાણવા મળેલ છે

દેશી દારૂ

ટંકારાના મોરબી નાકા પાસેથી પસાર થઈ રહેલા સ્કૂટર ચાલકને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી ૩૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૬૦૦ રૂપિયાની કિંમતનો દેશી દારૂનો જથ્થો તથા ૨૫ હજાર રૂપિયાની કિંમતનું સ્કૂટર નંબર જીજે ૩૬ એડી ૦૩૧૩  આમ કુલ મળીને ૨૫,૬૦૦ ના મુદ્દામાલ સાથે આદિલ હાસમભાઈ આમરોણીયા જાતે સુમરા સંધિ (૧૯) રહે. કલ્યાણપર રોડ ટંકારા વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સને દારૂનો જથ્થો અરસદભાઈ ઉર્ફે સદ્દામ લીયાકતભાઈ ખલીફા રહે. ટંકારા વાળાએ આપ્યો હોવાનું સામે આવતા તેની સામે ગુનો નોંધી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News