મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના નાગડાવાસ પાસે મહિલા ફોરેસ્ટ ઓફિસર ઉપર હુમલો કરનારા બંને આરોપીનો શરતી જામીન ઉપર છુટકારો


SHARE







મોરબીના નાગડાવાસ પાસે મહિલા ફોરેસ્ટ ઓફિસર ઉપર હુમલો કરનારા બંને આરોપીનો શરતી જામીન ઉપર છુટકારો

મોરબી માળીયા હાઈવે ઉપર નાગડાવાસ નજીક ગુજરાત ગેસ કંપનીની લાઈન નાખવાની કામગીરી ચાલુ છે ત્યાં વૃક્ષો કાપવામા આવે છે તેવી ફોનથી જાણ મહિલા ફોરેસ્ટ ઓફિસર સોનલબેન નાનુભાઈ શીલુને કરવામા આવેલી હતી જેથી તેઓ ત્યાં બનાવ સ્થળે ગયેલા ત્યાં જોતા તપાસ કરતા કોઈ વૃક્ષઓ કાપવામા આવતા ન હતા.બીજી તરફ ત્યાં ઉભેલા માથાભારે શખ્શે ગેસ કંપનીનું કામ કરી રહેલ વ્યક્તિની સાથે માથાકૂટ કરી હતી.તેથી મહિલા ફોરેસ્ટ ઓફિસર સોનલબેન શીલુ દ્વારા પોતાના મોબાઈલ ફોનમા તે બાબતનું વિડિઓ શૂટિંગ કર્યું હતું જેથી કરીને તે શખ્શે મહિલા ફોરેસ્ટ ઓફિસર સોનલબેન શીલુ ઉપર હુમલો કર્યો હતો અને જપાજપી કરી હતી.ત્યાર બાદ મહિલા ફોરેસ્ટ અધિકારી સોનલબેન શીલુને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમા લઇ આવીયા હતા અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરેલી હતી.

 
મોરબી-૨ ખાતે લાલબાગ સરકારી ક્વાર્ટરમા રહેતા મહિલા ફોરેસ્ટ ઓફિસર અધિકારી સોનલબેન શીલુ જાતે બ્રાહ્મણ (ઉંમર વર્ષ ૩૬) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમા જયેશ ગગુભાઈ મિયાત્રા આહીર તથા વસંતભાઈ નારણભાઇ રાઠોડ આહીર બને રહે.જુના નાગડાવાસ વાળાઓ સામે ફરિયાદ નોંધાવેલ જેથી પોલીસે ગુનો રજીસ્ટર કરીને ભારતીય ફોજદારી ધારાની કલમ ૩૩૨ ક(રાજ્ય સેવકને પોતાની ફરજ બજાવતા રોકવા માટે સ્વેકછા પૂર્વક વ્યથા કરવી), કલમ ૩૨૩ સ્વેકછાપૂર્વક વ્યથા કરવી  તથા કલમ ૫૦૪ સુલેહ શાંતિનો ભંગ કરવા ઉશ્કેરવા માટે ઈરાદાપૂર્વક અપમાન કરવું તથા કલમ ૧૧૪ મુજબ ગુન્હો નોંધ્યો હતો.ત્યારે દુષ્પ્રેરકની હાજરી વિગેરે મુજબ કલમો લગાવીને બંને આરોપી જયેશ આહીર તથા વસંત આહીરની મોરબી તાલુકા પોલીસ દ્વારા આ ગુનાહના કામે ધરપકડ કરેલી અને તા.૧૭-૯-૨૩ ના રવિવારના રોજ મોરબીના મહે.અડી.ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટ ચંદનાનીના નિવાસ સ્થાને તેઓ સમક્ષ રજુ કરતા આ કામના બંને આરોપી ઓ જયેશ આહીર અને વસંત આહીર તરફે વિદ્વાન ધારાશાસ્ત્રી ગુજરાત હાઇકોર્ટ પી.ડી.માનસેતા દ્વારા જામીન અરજી રજુ કરી ને ધારદાર કાયદાકીય દલીલ કરતા જે દલીલ મેજી. સાહેબે માન્ય રાખીને બંને આરોપીઓને રૂપિયા વીસ-વીસ હજારના શરતી જામીન ઉપર છોડવાનો હુકમ ફરમાવેલ અને બંને આરોપીઓની સામે સુલેહ શાંતિના ભંગ બદલ મોરબી મામલતદાર સમક્ષ ચેપ્ટર કેસો કરી રજુ કરવામાં આવેલ અને ત્યાં પણ બંને આરોપીના વકીલ પી.ડી.માનસેતા દ્વારા કાયદાકીય દલીલ કરેલ અને બંને આરોપીઓને જામીન ઉપર છોડી મુકવાનો હુકમ મામલતદારએ ફરમાવેલ છે.આ ગુનાહના કામે બંને આરોપીઓ જયેશ ગગુભાઈ મિયાત્રા આહીર અને વસંત રાણાભાઇ રાઠોડ આહીર બંને રહે.જુના નાગડાવાસ તા.જી. મોરબી વાળાઓ તરફે વિદ્વાન ધારાશસ્ત્રી ગુજરાત હાઇકોર્ટ પી.ડી.માનસેતા રોકાયેલ હતા.





Latest News