ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીના નાગડાવાસ પાસે મહિલા ફોરેસ્ટ ઓફિસર ઉપર હુમલો કરનારા બંને આરોપીનો શરતી જામીન ઉપર છુટકારો


SHARE













મોરબીના નાગડાવાસ પાસે મહિલા ફોરેસ્ટ ઓફિસર ઉપર હુમલો કરનારા બંને આરોપીનો શરતી જામીન ઉપર છુટકારો

મોરબી માળીયા હાઈવે ઉપર નાગડાવાસ નજીક ગુજરાત ગેસ કંપનીની લાઈન નાખવાની કામગીરી ચાલુ છે ત્યાં વૃક્ષો કાપવામા આવે છે તેવી ફોનથી જાણ મહિલા ફોરેસ્ટ ઓફિસર સોનલબેન નાનુભાઈ શીલુને કરવામા આવેલી હતી જેથી તેઓ ત્યાં બનાવ સ્થળે ગયેલા ત્યાં જોતા તપાસ કરતા કોઈ વૃક્ષઓ કાપવામા આવતા ન હતા.બીજી તરફ ત્યાં ઉભેલા માથાભારે શખ્શે ગેસ કંપનીનું કામ કરી રહેલ વ્યક્તિની સાથે માથાકૂટ કરી હતી.તેથી મહિલા ફોરેસ્ટ ઓફિસર સોનલબેન શીલુ દ્વારા પોતાના મોબાઈલ ફોનમા તે બાબતનું વિડિઓ શૂટિંગ કર્યું હતું જેથી કરીને તે શખ્શે મહિલા ફોરેસ્ટ ઓફિસર સોનલબેન શીલુ ઉપર હુમલો કર્યો હતો અને જપાજપી કરી હતી.ત્યાર બાદ મહિલા ફોરેસ્ટ અધિકારી સોનલબેન શીલુને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમા લઇ આવીયા હતા અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરેલી હતી.

 
મોરબી-૨ ખાતે લાલબાગ સરકારી ક્વાર્ટરમા રહેતા મહિલા ફોરેસ્ટ ઓફિસર અધિકારી સોનલબેન શીલુ જાતે બ્રાહ્મણ (ઉંમર વર્ષ ૩૬) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમા જયેશ ગગુભાઈ મિયાત્રા આહીર તથા વસંતભાઈ નારણભાઇ રાઠોડ આહીર બને રહે.જુના નાગડાવાસ વાળાઓ સામે ફરિયાદ નોંધાવેલ જેથી પોલીસે ગુનો રજીસ્ટર કરીને ભારતીય ફોજદારી ધારાની કલમ ૩૩૨ ક(રાજ્ય સેવકને પોતાની ફરજ બજાવતા રોકવા માટે સ્વેકછા પૂર્વક વ્યથા કરવી), કલમ ૩૨૩ સ્વેકછાપૂર્વક વ્યથા કરવી  તથા કલમ ૫૦૪ સુલેહ શાંતિનો ભંગ કરવા ઉશ્કેરવા માટે ઈરાદાપૂર્વક અપમાન કરવું તથા કલમ ૧૧૪ મુજબ ગુન્હો નોંધ્યો હતો.ત્યારે દુષ્પ્રેરકની હાજરી વિગેરે મુજબ કલમો લગાવીને બંને આરોપી જયેશ આહીર તથા વસંત આહીરની મોરબી તાલુકા પોલીસ દ્વારા આ ગુનાહના કામે ધરપકડ કરેલી અને તા.૧૭-૯-૨૩ ના રવિવારના રોજ મોરબીના મહે.અડી.ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટ ચંદનાનીના નિવાસ સ્થાને તેઓ સમક્ષ રજુ કરતા આ કામના બંને આરોપી ઓ જયેશ આહીર અને વસંત આહીર તરફે વિદ્વાન ધારાશાસ્ત્રી ગુજરાત હાઇકોર્ટ પી.ડી.માનસેતા દ્વારા જામીન અરજી રજુ કરી ને ધારદાર કાયદાકીય દલીલ કરતા જે દલીલ મેજી. સાહેબે માન્ય રાખીને બંને આરોપીઓને રૂપિયા વીસ-વીસ હજારના શરતી જામીન ઉપર છોડવાનો હુકમ ફરમાવેલ અને બંને આરોપીઓની સામે સુલેહ શાંતિના ભંગ બદલ મોરબી મામલતદાર સમક્ષ ચેપ્ટર કેસો કરી રજુ કરવામાં આવેલ અને ત્યાં પણ બંને આરોપીના વકીલ પી.ડી.માનસેતા દ્વારા કાયદાકીય દલીલ કરેલ અને બંને આરોપીઓને જામીન ઉપર છોડી મુકવાનો હુકમ મામલતદારએ ફરમાવેલ છે.આ ગુનાહના કામે બંને આરોપીઓ જયેશ ગગુભાઈ મિયાત્રા આહીર અને વસંત રાણાભાઇ રાઠોડ આહીર બંને રહે.જુના નાગડાવાસ તા.જી. મોરબી વાળાઓ તરફે વિદ્વાન ધારાશસ્ત્રી ગુજરાત હાઇકોર્ટ પી.ડી.માનસેતા રોકાયેલ હતા.





Latest News