વાંકાનેરના રાતદેવડી ગામે કૂવામાંથી કોહવાયેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો
મોરબીના સોઓરડી પાસે આવેલ રામદેવપીર મંદિરેથી શોભાયાત્રા યોજાઇ
SHARE
મોરબીના સોઓરડી પાસે આવેલ રામદેવપીર મંદિરેથી શોભાયાત્રા યોજાઇ
મોરબી સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં આવેલ રામદેવપીર મંદિરેથી દર વર્ષે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષ પણ શોભાયાત્રા કઢાવવામાં આવી હતી ત્યારે બહોળી સંખ્યામાં લોકો તેમાં જોડાયા છે અને આ મંદિરને ૪૮ વર્ષ થયા છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે યોજાયેલ શોભાયાત્રામાં મોરબી નગરપાલિકાના પુવૅ કાઉન્સિલર સુરેશભાઇ શિરોહીયા, જશવંતીબેન શિરોહીયા, ગીરીરાજસિહ ઝાલા, મનસુખભાઈ બરાસરા અને ગોતમભાઇ સોલંકી જોડાયા હતા તે ઉપરાંત બળવંતભાઈ સનાળીયા, ભીખાભાઈ સોલંકી, ભરતભાઇ જોશી, પરશોતમભાઇ સોલંકી તેમજ મંદિરનાં સંચાલક તરીકે સેવા આપતા છગનભાઈ સોલંકી સહિતના અન્ય સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા.