મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબી :રાજસ્થાની તરુણીનું અભયમ ટીમ દ્વારા કાઉન્સિલિંગ કરી પરિજનોને જાણ કરાઇ


SHARE













મોરબી :રાજસ્થાની તરુણીનું અભયમ ટીમ દ્વારા કાઉન્સિલિંગ કરી પરિજનોને જાણ કરાઇ

ભૂલી પડેલી તરુણી ને આશ્રય અપાવતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન મોરબી

ગત તારીખ.૨૬-૯ ના રોજ એક જાગૃત વ્યક્તિ દ્વારા ૧૮૧ પર ફોન આવેલ કે ૧૬ વર્ષની આસપાસની ઉંમરની દીકરી મળી આવેલ છે અને ભૂલા પડી ગયેલ હોય તેવું લાગે છે માટે મદદની જરૂર છે ત્યારબાદ ૧૮૧ ટીમનાના કાઉન્સિલર સેજલ પટેલ કોન્સ્ટેબલ દિપ્તીબેન તેમજ પાયલોટ પ્રદીપભાઈ તે દીકરી સુધી પહોંચે સૌપ્રથમ તે દીકરીને સાંત્વના આપેલ ત્યારબાદ દીકરીનું કાઉન્સલિંગ કરતા તેમણે જણાવેલ કે તેઓ રાજસ્થાન ના હોય અહીંયા તેઓ કંપનીમાં કામ કરવા માટે આવેલ હોય ત્યારબાદ દીકરીને સલાહ સુચન માર્ગદર્શન આપી તેમના ઘરનું સરનામું જણાવવા માટે જણાવેલ તો તેમણે તેવો રાજસ્થાન ના હોય તેવું જણાવતા તેમના માતા પિતાનું ફોન દ્વારા કાઉન્સિલિંગ કરેલ તો તેમણે જણાવેલ કે તેમની દીકરી ઘરેથી કહ્યા વગર અચાનક નીકળી ગયેલ હોય તેઓ પણ તેમની દીકરીને ક્યારના શોધતા હોય તેમની દીકરીને સમજાવે કે હવે પછી માતા-પિતાને જાણ કર્યા વગર ઘરેથી નીકળશે નહીં આજુબાજુના વિસ્તારમાં તેમજ ઘણા લોકોને તેમની દીકરી બાબતે પૂછપરછ કરેલ પરંતુ કાંઈ ખબર મળે નહીં અને તેઓ પણ ચિંતિત હતા માટે ટીમ દ્વારા તેમના માતા પિતાને તેમની દીકરીનું ધ્યાન રાખવા માટે જણાવેલ તેમજ તેમના માતા-પિતા તેમની દીકરીને લેવા આવવા માટે જણાવતા લાંબા ગાળાનું કાઉન્સલિંગ તેમજ આશ્રયની જરૂર હોવાથી તેના પરિજનો પહોંચે નહિ ત્યાં સુધી સુરક્ષીત આશ્રય અપાવવામાં આવેલ.તરુણીના પરિવારે 181 અભયમ ટીમનો આભાર માન્યો હતો॰






Latest News