રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યામંદીર ખાતે જ્ઞાનસાગર ઉત્સવ તેમજ આચાર્ય પ્રશિક્ષણ યોજાયું


SHARE









મોરબી સાર્થક વિદ્યામંદીર ખાતે જ્ઞાનસાગર ઉત્સવ તેમજ આચાર્ય પ્રશિક્ષણ યોજાયું

મોરબીની સાર્થક સ્કૂલ ખાતે જ્ઞાન સાગર ઉત્સવ તેમજ આચાર્ય પ્રશિક્ષણ યોજાયું હતું.સાર્થક વિદ્યામંદીર ખાતે જ્ઞાન સાગર પ્રકલ્પના ૧૦૫૧ ગ્રંથોના ગ્રંથાલયનું ઉદ્ઘાટન કાર્યક્રમ તેમજ ગ્રંથ પ્રદર્શની યોજાયી હતી.આ ગ્રંથો પુનરુસ્થાન વિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત થયા છે.આ ગ્રંથાલયના ઉદ્ઘાટન પ્રસંગે વિદ્યાભારતી શિશુમંદિર મોરબીના નિયામક સુનિલભાઈ પરમાર, વ્યવસ્થાપક જયંતીભાઈ રાજકોટિયા અને મહેશભાઈ જાની તેમજ પુનરુસ્થાન વિદ્યાપીઠના મોરબીના સંયોજક હરકિશનભાઈ, રાજકોટ વિભાગ એફઆરસીના સીએ સદસ્ય ગીરીશભાઈ દેવડીયા તેમજ પત્રકાર એસો.ના પ્રમુખ હિમાંશુ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.તે ઉપરાંત મોટી સંખ્યામાં શાળા સંચાલકો, શિક્ષકો, વાલીઓ તેમજ શિક્ષણ પ્રેમીઓએ ગ્રંથ પ્રદર્શની નિહાળી હતી.


સુનિલભાઈ, જયંતિભાઈ રાજકોટિયા તેમજ કિશોરભાઈ શુકલએ પોત પોતાના વક્તવ્યમાં વિદ્યાપીઠનો પરિચય, યોજના, શિક્ષણ તેમજ વ્યવહારમાં ભારતીયતા આ માટે શાળા શુ કરી શકે, શિક્ષકોનો અને વાલીઓની ભૂમિકા વિશે વાત કરી હતી.આગાઉ જ્યારે અગ્રીમ સદસ્ય યોજનામાં શાળા જોડાઈ ત્યારે વિદ્યાપીઠના અધ્યક્ષ અને કુલપતિ શ્રીમતી ઇન્દુમતીબેન કાટદરેએ સાર્થક વિદ્યામંદીરની મુલાકાત લીધી હતી.આ સાથે સાથે આજરોજ  અન્ય એક આયોજનમાં સાર્થક વિદ્યામંદિરમાં નિરંતર ચાલતા આચાર્ય પ્રશિક્ષણ અંતર્ગત પ્રખ્યાત શિક્ષણવિદ- લેખક ગિજુભાઈ બધેકા લિખિત પુસ્તક દીવાસ્વપ્ન આધારિત બનેલી દિવાસ્વપ્ન ફિલ્મ શિક્ષકોને તેમજ મહેમાનોએ નિહાળી હતી.કિશોરભાઈ શુકલે જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓ અને વાલીઓએ આ પિક્ચર જોવું જોઈએ.






Latest News