મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

માળીયા (મી)-હળવદ રોડે ક્રિષ્ના હોટલમાંથી ૪૫ બોટલ દારૂ-૮૧ બિયરના ટીન સાથે એકની ધરપકડ


SHARE







માળીયા (મી)-હળવદ રોડે ક્રિષ્ના હોટલમાંથી ૪૫ બોટલ દારૂ-૮૧ બિયરના ટીન સાથે એકની ધરપકડ

માળીયા હળવદ હાઇવે ઉપર આવેલ ક્રિષ્ના હોટલ ખાતે દારૂ બિયરનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી દારૂની ૪૫ બોટલ તથા ૮૧ બિયરના ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે ૨૬,૧૦૦ ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા હળવદ હાઇવે ઉપર આવેલ ક્રિષ્ના હોટલે દારૂ બિયરનો જથ્થો હોવાની ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ક્રિષ્ના હોટલમાંથી દારૂની ૪૫ બોટલો જેની કિંમત ૧૮૦૦૦ રૂપિયા તથા બિયરના ૮૧ ટીન જેની કિંમત ૮૧૦૦ આમ કુલ મળીને ૨૬,૧૦૦ ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો હોટલમાંથી મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે આરોપી રિયાઝભાઈ કરીમભાઈ લધાણી જાતે મુસ્લિમ (૩૮) રહે. હાલ માળિયા હળવદ હાઇવે ક્રિષ્ના હોટલ મૂળ રહે. વર્સિલ ચોક એકડે એક બાપુ વિસ્તારમાં માજોઠી નગર જામનગર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસે હોટલેથી મળી આવેલ દારૂ અને બિયરનો જથ્થો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં આગળની તપાસ શરૂ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ ઢુવા ગામ પાસે વરમોરા સિરામિક નજીક અકસ્માતનો બનાવ બન્યો હતો ત્યારે રિક્ષામાં જતા કાદરભાઈ બાવલીયા (૭૦) અને તસલીમા જાવેદ (૧૦) ને ઇજાઓ થતા તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવ વાંકાનેર તાલુકાનો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટે કવાયત કરેલ છે






Latest News