મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી યાર્ડ શાકભાજી વિભાગ ખાતે સ્વચ્છતા માટે શ્રમદાન કાર્યક્રમમાં જોડાવવા યાર્ડ કર્મચારીગણ અને ચૂંટાયેલ પ્રતિનિધિઓને જાહેર આમંત્રણ


SHARE







મોરબી યાર્ડ શાકભાજી વિભાગ ખાતે સ્વચ્છતા માટે શ્રમદાન કાર્યક્રમમાં જોડાવવા યાર્ડ કર્મચારીગણ અને ચૂંટાયેલ પ્રતિનિધિઓને જાહેર આમંત્રણ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા દેશના લોકોને ગાંધી જયંતિ પહેલા, ૧ ઓક્ટબેરના દિવસે સવારે ૧૦ કલાકે સામૂહિક રીતે ૧ કલાક "સ્વચ્છતા માટે શ્રમદાન" કરવા આહવાન અપાયેલ છે, જે અંતર્ગત મોરબી માર્કેટિંગ યાર્ડ, શાકભાજી વિભાગ ખાતે એકઠા થયેલ કચરાના નિકાલ માટે તા.૧-૧૦  સવારે ૧૦ કલાકે વેપારીઓ, જાહેર જનતા સાથે મોરબી માર્કેટિંગ યાર્ડ કર્મચારીગણ અને ચૂંટાયેલ પ્રતિનિધિઓને ૧ કલાક સ્વચ્છતા માટે શ્રમદાન કાર્યક્રમમાં જોડાવા શાકભાજી વિભાગ વેપારી એસોસિયેશન દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે.ઉપરોક્ત કાર્યક્રમના માધ્યમથી ગંદકી, કચરાના નિકાલ, યાર્ડમાં બંધ પડેલ ડુંગળીની જાહેર હરરાજી, વાહન પાર્કિંગ વગેરે વિવિધ પ્રશ્નો અંગે કોઈ કાયમી ઉકેલ લાવવા અને યાર્ડ સતાધીશો અને રાજકીય આગેવાનોને પરિસ્થિતિથી અવગત કરવા પ્રયત્ન કરવામાં આવશે.ઉપરોક્ત સ્વચ્છતા માટે શ્રમદાન કાર્યક્રમમાં જોડાવા શાકભાજી વિભાગનાં વેપારીઓ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.






Latest News