ટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિ મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી મોરબીના મણી મંદિર પાસે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છભરમાં સેવા કાર્યોનું આયોજન મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છની વરણી મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના દસમાથી પાંચ ડેમ ઓવરફ્લો: મોટાભાગના ડેમોમાં નવા નીરની આવક


SHARE













મોરબી જીલ્લાના દસમાથી પાંચ ડેમ ઓવરફ્લો: મોટાભાગના ડેમોમાં નવા નીરની આવક

મોરબી જિલ્લાની અંદર મેઘરાજા ધીમીધારે વરસી રહ્યા છે જેના કારણે સ્થાનિક જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે તેવામાં ડેમના કેચમેટ વિસ્તારમાં અને ડેમના ઉપરના ભાગમાં સારો વરસાદ હોવાથી હાલમાં ખૂબ જ વિપુલ પ્રમાણમાં વરસાદી પાણીની આવક સ્થાનિક જળાશયોમાં થઈ રહી છે ત્યારે આજની તારીખે મોરબી જિલ્લાના ૧૦ ડેમમાથી પાંચ ડેમ ઓવરફ્લો થઈ ગયા છે

મોરબી જીલ્લામાં પડેલા વરસાદ બાદ હાલમાં ડેમોમાં પાણીના આવક ચાલુ છે અને જિલ્લામાં આવેલા ૧૦ ડેમમાથી બંગાવડી, મચ્છુ-૧, મચ્છુ-૩, ડેમી-૧ અને ડેમી-૩ ઓવરફ્લો થઈ ગયા છે અને મચ્છુ-૩ ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયો હોવાથી તેનો એક દરવાજો હાલમાં ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી સિચાઈ વિભાગના અધિકારી પાસેથી મળેલી માહિતી મુજબ હાલમાં પણ ડેમોમાં નવા નીરની આવક ચાલુ જ છે અને મોરબી જિલ્લાના ૧૦ પૈકીનાં પાંચ ડેમોમાં નવા નીરની આવક થયેલ હોવાથી તે ૧૦૦ ટકા ભરાઈ ગયા છે અને દરવાજા હોય તે ડેમમાં દરવાજા ખોલીને પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે જો કે, મચ્છુ -૨ ડેમ ૬૫ ટકા ભરેલ છે, ડેમી -૨ ડેમ ૮૨ ટકા ભરેલ છે, બ્રાહ્મણી -૧ ડેમ ૩૨ ટકા ભરેલ છે, બ્રાહ્મણી -૨ માં પણ નવા નીરની આવક થયેલ છે અને ધોડાધ્રોઈ ડેમ ૭૮ ટકા ભરેલ છે








Latest News