ટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિ મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી મોરબીના મણી મંદિર પાસે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છભરમાં સેવા કાર્યોનું આયોજન મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છની વરણી મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે બે પરિવાર વચ્ચે થયેલ માથાકૂટમાં બે આરોપીની ધરપકડ


SHARE













મોરબીના મહેન્દ્રનગર ગામે બે પરિવાર વચ્ચે થયેલ માથાકૂટમાં બે આરોપીની ધરપકડ

 મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે મકાનની દીવાલ બાબતે બે પરિવારો વચ્ચે સામસામે બોલાચાલી થઈ હતી અને બાદમાં સામસામે પથ્થરમારો કરીને મારા મારી કરવામાં આવી હતી અને આ ઘટનામાં સામસામે ફરિયાદો પણ નોંધવામાં આવેલી છે જેમથી એક ગુનામાં પોલીસે હાલમાં બે આરોપીઓની ધરપકડ કરી છે

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે આવેલ આઇટીઆઇ સામેના ભાગે આવેલા વિસ્તારમાં મકાનની દીવાલ બાબતે સામસામે મારામારી થઈ હતી જેમાં બંને પક્ષના કુલ મળીને છ શખ્સોને ઇજાઓ થઈ હતી જેથી તેઓને સારવારમાં લઈ જવામાં આવ્યા હતા બાદમાં મારામારીના બનાવમાં બંને પક્ષેથી સામસામી ફરિયાદ કરવામાં આવી હતી જેમાં નવીનભાઈ મીઠાભાઈ મકવાણા (૩૮) રહે, મહેન્દ્રનગર આઇટીઆઇ સામે વાળાએ વિનોદ નાનજી ચાવડાચિરાગ નાનજી ચાવડા અને રમીલાબેન નાનજી ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તેમને તથા સહેદોને સામેવાળા ઢીકાપાટુનો મારમારી છૂટા પથ્થર મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ ગુનામાં પોલીસે હાલમાં વિનોદ નાનજીભાઈ ચાવડા અને ચિરાગ નાનજીભાઈ ચાવડા રહે, બંને મહેન્દ્રનગર વાળાની ધરપકડ કરેલ છે








Latest News