મોરબીની યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજમાં ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે
મોરબી જલારામ મંદિરે કાલથી ભાગવત સપ્તાહનો પ્રારંભ
SHARE
મોરબી જલારામ મંદિરે કાલથી ભાગવત સપ્તાહનો પ્રારંભ
મોરબીના અયોધ્યાપૂરી મેઇન રોડે આવેલા જલારામ મંદિરે મહિલા મંડળ દ્વારા તા. ૮ થી ૧૪ સુધી ૧૧ પોથી શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વ્યાસપીઠ પર વક્તા તરીકે પૂ. રત્નેશ્વરીબેન (ગુરૂ ભાવેશ્વરી માતાજી- રામધન આશ્રમ) પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવશે
મોરબીના જલારામ મંદિરે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં અવાયું છે જે કથા કાલે તા ૮ થી શરૂ થશે બપોરના ૪ કલાકે દરિયાલાલ મંદીર, બજાર લાઈનથી જલારામ મંદિર અયોધ્યાપુરી રોડ સુઘી પોથી યાત્રા યોજાશે અને આ કથા દરરોજ બપોરના ૩ થી ૭ સુધી ચાલશે અને સાંજે ૭:૩૦ કલાકે મહાપ્રસાદ યોજાશે આ કાર્યક્રમને સફળ બનાવવા નવીનભાઈ રાચ્છ, નરેન્દ્રભાઇ રાચ્છ, હસુભાઈ પુજારા, સંદીપભાઈ ખગ્રામ, ચંદ્રિકાબેન પલાણ, પ્રફુલ્લભાઈ પોપટ, હરીશભાઈ રાજા, નરેન્દ્રભાઈ પુજારા, કે.પી.ભાગીયા, જયેશભાઈ કંસારા, જયેશભાઈ ટોળીયા, મોરભાઈ કંઝારીયા, વાલજીભાઈ ડાભી, સહીતના આગેવાનો, હોદેદારો અને કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.









