ભરોસો ગુરુનાં ચરણમાં, વિશ્વાસ ગુરુનાં વચન ઉપર અને શ્રદ્ધા ગુરુનાં હ્રદયમાં રાખવી: મોરારીબાપુ
વાંકાનેર તાલુકા પંચાયત ખાતે દીનદયાળ અંત્યોદય યોજના અંતર્ગત કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો
SHARE
વાંકાનેર તાલુકા પંચાયત ખાતે દીનદયાળ અંત્યોદય યોજના અંતર્ગત કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો
વાંકાનેર તાલુકા પંચાયત ખાતે દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) સ્વ-સહાય જૂથો માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કશ્મીરાબા ઝાલા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેર, ધર્મેન્દ્રસિંહ ઝાલા, ટીડીઓ અને ચૂંટાયેલા સદસ્ય સહિતના હાજર રહ્યા હતા ત્યારે જીજ્ઞાસાબેન મેરે જણાવ્યું હતું કે "દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનએ ગ્રામીણ વિકાસ મંત્રાલયની મુખ્ય યોજના છે, જેનો હેતુ સ્વ-સહાય જૂથો જેવી સામુદાયિક સંસ્થાઓ દ્વારા ગરીબ મહિલાઓને લાભ આપવાનો છે, જેથી ગ્રામીણ ગરીબીને દૂર કરી શકાય. બીજો ધ્યેય તેમને બેંકોમાંથી આવશ્યક ધિરાણ ઉપલબ્ધ કરાવીને તેમના આજીવિકાનો આધાર મજબૂત કરવાનો છે. મહીલાઑ માટે નરેન્દ્ર ભાઈ મોદી સાહેબની ડબલ એન્જિન સરકાર હંમેશા કાર્યરત છે,"